Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 47 of 170
PDF/HTML Page 76 of 199

 

૬૦સમાધિતંત્ર

टीकासंयम्य स्वविषये गच्छन्ति निरुध्य कानि ? सर्वेन्द्रियाणि पञ्चापीन्द्रियाणि तदनन्तरं स्तिमिते स्थिरीभूतेन अन्तरात्मना मनसा यत्स्वरूपं भाति किं कुर्वतः ? क्षणं पश्यतः क्षणमात्रमनुभवतः बहुतरकालं मनसा स्थिरीकर्तुमशक्यत्वात् स्तोककालं मनोनिरोधं कृत्वा पश्यतो यच्चिदानन्दस्वरूपं प्रतिभाति तत्तत्त्वं तद्रूपं तत्त्वं स्वरूपं परमात्मनः ।।३०।।

कस्मिन्नाराधिते तत्स्वरूपप्राप्तिर्भविष्यतीत्याशङ्कयाह

શ્લોક ૩૦

અન્વયાર્થ : (सर्वेन्द्रियाणि) સર્વ ઇન્દ્રિયોને (संयम्य) રોકીને (स्तिमितेन) સ્થિર થયેલા (अन्तरात्माना) અન્તરાત્મા દ્વારા (क्षणं प्रपश्यतः) ક્ષણ માત્ર જોનારનેઅનુભવ કરનાર જીવને (यत्) જેચિદાનંદસ્વરૂપ (भाति) પ્રતિભાસે છે (तत्) તે (परमात्मनः तत्त्वम्) પરમાત્માનું સ્વરૂપ છે.

ટીકા : પોતપોતાના વિષયોમાં જતીપ્રવર્તતીકોણ (પ્રવર્તતી)? સર્વ ઇન્દ્રિયો, એટલે પાંચે ઇન્દ્રિયો, તેને રોકીનેનિરોધીને, ત્યારબાદ સ્થિર થએલા અન્તરાત્મા વડે એટલે મન વડે જે સ્વરૂપ ભાસે છે, શું કરતાં? ક્ષણ વાર જોતાંક્ષણમાત્ર અનુભવતાંઅર્થાત્ બહુ કાલ સુધી મનને સ્થિર કરવું અશક્ય હોવાથી થોડા કલાક સુધી મનનો નિરોધ કરીને દેખતાં જે ચિદાનંદસ્વરૂપ પ્રતિભાસે છે, તે પરમાત્માનું તત્ત્વતદ્રૂપ તત્ત્વસ્વરૂપ છે.

ભાવાર્થ : સર્વ ઇન્દ્રિયોના વિષયોમાં ભમતીપ્રવર્તતી ચિત્તવૃત્તિને રોકીને અર્થાત્ અન્તર્જલ્પાદિ સંકલ્પવિકલ્પોથી રહિત થઈને, ઉપયોગને પોતાના ચિદાનંદ સ્વરૂપમાં સ્થિર કરવો. તે આત્મસ્વરૂપમાં સ્થિર થતાં પરમાત્મસ્વરૂપનો પ્રતિભાસ થાય છે.

પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફનું વલણ છોડી અને મનના સંકલ્પવિકલ્પો તોડી જ્ઞાનાનંદ સ્વભાવમાં એકાગ્ર થવુંસ્થિર થવું તે પરમાત્મપ્રાપ્તિનો ઉપાય છે.

વિશેષ

આત્મા અતીન્દ્રિય સુખનો ભંડાર છે એવી દ્રષ્ટિ થતાં રાગનીવિકારની રુચિ તથા ઇન્દ્રિયોના વિષયો તરફની પ્રવૃત્તિ અટકી જાય છે. પર તરફની વૃત્તિ રોકાઈ જતાં, ઉપયોગ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે, અને આત્માના આનંદકંદનો અનુભવ થાય છે. આ સમ્યગ્દર્શન છે ને તે જ સમાધિ છે. તે વડે જ પરમાત્મપદ પમાય છે. ૩૦.

કોની આરાધના કરવાથી તે સ્વરૂપની પ્રાપ્તિ થાય? એવી આશંકા કરી કહે છેઃ