Samadhitantra (Gujarati). Gatha: 31.

< Previous Page   Next Page >


Page 48 of 170
PDF/HTML Page 77 of 199

 

સમાધિતંત્ર૬૧
यः परमात्मा स एवाऽहं योऽहं स परमस्ततः
अहमेव मयोपास्यो नान्यः कश्चिदितिस्थितिः ।।३१।।

टीकायः प्रसिद्धः पर उत्कृष्ट आत्मा स एवाहं योऽहं यः स्वसंवेदनेन प्रसिद्धोऽलमन्तरात्मा स परमः परमात्मा ततो यतो मया सह परमात्मनोऽभेदस्ततोऽहमेव मया उपास्य आराध्यः नान्यः कश्चिन्मयोपास्य इति स्थितिः एवं स्वरूप एवाराध्याराधकभाव- व्यवस्था ।।३१।।

શ્લોક ૩૧

અન્વયાર્થ :(यः) જે (परमात्मा) પરમાત્મા છે (सः एव) તે જ (अहं) હું છું, તથા (यः) જે (अहं) હું છું (सः) તે (परमः) પરમાત્મા છે; (ततः) તેથી (अहं एव) હું (मया) મારા વડે (उपास्यः) ઉપાસવા યોગ્ય છું, (कः चित् अन्यः न) બીજો કોઈ (ઉપાસ્ય) નથી, (इति स्थितिः) એવી વસ્તુસ્થિતિ છે.

ટીકા : જે પ્રસિદ્ધ પર એટલે ઉત્કૃષ્ટ આત્મા છે તે જ હું છું. જે હુંઅર્થાત્ જે સ્વસંવેદનથી પ્રસિદ્ધ હું અંતરાત્માતે પરમ એટલે પરમાત્મા છે. મારી સાથે પરમાત્માનો અભેદ છે, તેથી હું જ મારા વડે ઉપાસના કરવા યોગ્યઆરાધવા યોગ્ય છું, બીજો કોઈ મારા વડે ઉપાસવા યોગ્ય નથી. એવી સ્થિતિ છેઅર્થાત્ એવું સ્વરૂપ જ છેએવી આરાધ્ય આરાધકની વ્યવસ્થા છે.

ભાવાર્થ : અંતરાત્મા વિચારે છે કે, ‘‘મારો અંતરાત્મા સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે. વાસ્તવમાં તે અરિહંત અને સિદ્ધ સમાન છે અર્થાત્ પરમાત્મા છે. તેની અભેદપણે ઉપાસના કરવાથી હું પોતે જ પરમાત્મા થઈ શકું તેમ છું. માટે હું જ (મારો શુદ્ધાત્મા જ) મારે પોતાને ઉપાસ્ય છું; બીજો કોઈ ઉપાસના કરવા યોગ્ય નથી. હું પોતે જ ઉપાસ્ય અને ઉપાસક છું.’

વિશેષ

‘‘ખરેખર અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે, કારણ કે બન્નેમાં નિશ્ચયથી તફાવત નથી.’’

૧. જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. (૮૦) (જુઓઃ ટીકાશ્રી પ્રવ.સાર, ગુ. આવૃત્તિ - ગા.૮૦)
જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મ;
હું જ સેવ્ય મારા વડે, અન્ય સેવ્ય નહિ જાણ. ૩૧.