Samadhitantra (Gujarati). Gatha: 32.

< Previous Page   Next Page >


Page 49 of 170
PDF/HTML Page 78 of 199

 

૬૨સમાધિતંત્ર

एतदेव दर्शयन्नाह

प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम्
बोधात्मानं प्रपन्नोऽस्मि परमानन्दनिर्वृतम् ।।३२।।

टीकामामात्मानमहं प्रपन्नोऽस्मि भवामि किं कृत्वा ? प्रच्याव्य व्यावृत्य केभ्यः ? विषयेभ्यः केन कृत्वा ? मयैवात्मस्वरूपेणैव करणात्मना क्व स्थितं माम् प्रपन्नोऽहं ? मयि स्थितं

જ્યારે અંતરાત્મા પોતાને સિદ્ધ સમાન શુદ્ધ, બુદ્ધ અને જ્ઞાતાદ્રષ્ટારૂપ અનુભવે છે અને અભેદ ભાવનાના બળે શુદ્ધાત્મસ્વરૂપમાં તન્મય થઈ જાય છે ત્યારે તે સર્વ કર્મબંધનથી મુક્ત થઈ પરમાત્મા બની જાય છે તેટલા માટે પોતે ઉપાસક અને પોતાનું શુદ્ધાત્મસ્વરૂપ ઉપાસ્ય છે, એમ સમજી અને નિર્ણય કરી અંતર્મુખ થઈને પોતાના સ્વસંવેદન જ્ઞાન વડે નિજ શુદ્ધાત્માની ઉપાસના કરવી તે પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય છે.

‘સિદ્ધ સમાન સદા પદ મેરો’સિદ્ધના જેવું જ પરિપૂર્ણ મારું સ્વરૂપ શક્તિરૂપે છે. પરમાત્મપદ બહારમાં નથી. તે તો મારામાં જ છે, એવી નિરંતર ભાવનાના બળથી આત્મા પરમાત્મા બની શકે છે. તેવી તેની શક્તિ છે. જે આ શક્તિનું શ્રદ્ધાજ્ઞાન કરે છે તે જ પોતાના શુદ્ધાત્મામાં રમણતા કરી પરમાત્મપદને પ્રાપ્ત કરે છે.

આ જ આરાધ્યઆરાધક ભાવની વ્યવસ્થાનું સ્વરૂપ છે. ૩૧.

તે જ બતાવીને કહે છેઃ

શ્લોક ૩૨

અન્વયાર્થ : (मां) મનેમારા આત્માને (विषयेभ्यः) પંચેન્દ્રિયના વિષયોથી (प्रच्याव्य) હઠાવીને (मया एव) મારા જ વડેપોતાના જ આત્મા વડે (अहं) હું (मयि स्थितं) મારામાં સ્થિત (परमानंतनिर्वृत्तम्) પરમ આનંદથી નિર્વૃત્ત (રચાયેલા) (बोधात्मानं) જ્ઞાનસ્વરૂપ આત્માને (प्रपन्नोऽस्मि) પ્રાપ્ત થયો છું.

ટીકા : હું મને એટલે મારા આત્માને પ્રાપ્ત થયો છું. શું કરીને? (મારા આત્માને) છોડાવીનેપાછો વાળીને, શાનાથી? વિષયોથી. શા વડે કરીને? મારા જ વડે એટલે કરણ

વિષયમુક્ત થઈ મુજ થકી જ્ઞાનાત્મક મુજસ્થિત,
મુજને હું અવલંબું છું પરમાનંદરચિત. ૩૨.