Samadhitantra (Gujarati). Gatha: 33.

< Previous Page   Next Page >


Page 51 of 170
PDF/HTML Page 80 of 199

 

૬૪સમાધિતંત્ર

यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम्
लभते स न निर्वाणं तप्त्वाऽपि परमं तपः ।।३३।।

टीकायः प्रतिपन्नाद्देहात्परं भिन्नमात्मानमेवमुक्तप्रकारेण न वेत्ति किं विशिष्टम् ? अव्ययं अपरित्यक्तानन्तचतुष्टयस्वरूपम् स प्रतिपन्नान निर्वाणं लभते किं कृत्वा ? तप्त्वाऽपि किं तत् ? परमं तपः ।।३३।।

શ્લોક ૩૩

અન્વયાર્થ : (एवं) ઉક્ત પ્રકારે (यः) જે (अव्ययं) અવિનાશી (आत्मानं) આત્માને (देहात्) શરીરથી (परं न वेत्ति) ભિન્ન જાણતા નથી (सः) તે (परमं तपः तप्त्वापि) ઘોર તપશ્ચરણ કરવા છતાં (निर्वाणं) મોક્ષ (न लभते) પ્રાપ્ત કરતો નથી.

ટીકા : જે પ્રાપ્ત થયેલા દેહથી આત્માને, એ રીતેઉક્ત પ્રકારે ભિન્ન જાણતો નથી, કેવા આત્માને? અવ્યય અર્થાત્ જેણે અનંતચતુષ્ટય સ્વરૂપનો ત્યાગ કર્યો નથી તેવા (આત્માને), તે પ્રાપ્ત થયેલા દેહથી નિર્વાણ પામતો નથી. શું કરીને? તપ્યા છતાં, શું તપીને? પરમ તપને.

ભાવાર્થ : જે જીવ અવિનાશી આત્માને દેહથી ભિન્ન જાણતો નથીઅનુભવતો નથી, તે ઘોર તપ કરે તો પણ સમ્યક્ત્વ કે નિર્વાણને પામતો નથી.

આત્મા અવિનાશી ચૈતન્યસ્વરૂપ જ્ઞાનાનંદમય છે અને શરીર ઇન્દ્રિયાદિ અચેતનજડ છે. બન્નેનાં લક્ષણ ભિન્ન ભિન્ન છે, તેથી તેઓ એકબીજાથી ભિન્ન છે. આમ જે જીવ જાણતો નથી તે અજ્ઞાની છે, સ્વપરના ભેદવિજ્ઞાનથી રહિત છે. શરીરાદિની જડ ક્રિયાને જીવ કરી શકે છે એમ માની તે રાગદ્વેષ કરે છે અને તેથી ઘોર તપ કરવા છતાં તે ધર્મ પામતો નથી.

વિશેષ

જ્ઞાનસ્વરૂપ આત્માના ભાન વિના જીવ ભલે વ્રતતપનિયમશીલાદિ આચરે તો પણ તે કર્મબંધનથી છૂટશે નહિનિર્વાણ પામશે નહિ. ૧. પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે,

સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. (૧૫૨)
વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે,
પરમાર્થથી જે બાહ્ય, તે નિર્વાણપ્રાપ્તિ નહિ કરે. (૧૫૩) (શ્રી સમયસાર ગુ. આવૃત્તિ)
એમ ન જાણે દેહથી ભિન્ન જીવ અવિનાશ;
તે તપતાં તપ ઘોર પણ, પામે નહિ શિવવાસ. ૩૩.