Samadhitantra (Gujarati). Gatha: 35.

< Previous Page   Next Page >


Page 54 of 170
PDF/HTML Page 83 of 199

 

સમાધિતંત્ર૬૭

खेदं गच्छतामात्मस्वरूपोपलम्भाभावं दर्शयन्नाह

रागद्वेषादिकल्लोलैरलोलं यन्मनोजलम्
स पश्यत्यात्मनस्तत्त्वं स तत्त्वं नेतरो जनः ।।३५।।

टीकारागद्वेषादय एव कल्लोलास्तैरलोलमचञ्जलमकलुषं वा यन्मनोजलं मन एव जलं मनोजलं यस्य मनोजलम् यन्मनोजलम् स आत्मा पश्यति आत्मनस्तत्त्वमात्मनः स्वरूपम् स तत्त्वम् स आत्मदर्शी तत्त्वं परमात्मस्वरूपम् नेतरो जनः (रागादिपरिणतः जनः) तत्त्वं न भवति ।।३५।।

ખેદ પામનારાઓને આત્મસ્વરૂપની પ્રાપ્તિનો અભાવ દર્શાવતાં કહે છે કેઃ

શ્લોક ૩૫

અન્વયાર્થ : (यन्मनोजलम्) જેનું મનરૂપી જલ (रागद्वेषादिकल्लोलैः) રાગદ્વેષાદિ તરંગોથી (अलोलं) ચંચલ થતું નથી, (सः) તે (आत्मनः तत्त्वं) આત્માના યથાર્થ સ્વરૂપને (पश्यति) દેખે છેઅનુભવે છે. (तत् तत्त्वं) તે આત્મતત્ત્વને (इतरः जनः) બીજો માણસ રાગદ્વેષાદિથી આકુલિત ચિત્તવાળો માણસ (न पश्यति) દેખી શકતો નથી.

ટીકા : રાગદ્વેષાદિ જે કલ્લોલો (તરંગો) છે, તેનાથી અલોલઅચંચલઅકલુષ જેનું મનરૂપી જલ છે [મન એ જ જલ તે મનોજલ, જેનું મનોજલ છે] તે આત્મા, આત્માના તત્ત્વને એટલે પરમાત્મસ્વરૂપને દેખે છે (અનુભવે છે,) અર્થાત્ [તે તત્ત્વને] તે એટલે આત્મદર્શી તત્ત્વને એટલે પરમાત્મસ્વરૂપને (અનુભવે છે,) બીજો કોઈ જન અર્થાત્ રાગાદિપરિણત અન્ય [अनात्मदर्शी] જન તત્ત્વને અનુભવી શકતો નથી.

ભાવાર્થ : જેનું મન રાગદ્વેષાદિ વિકલ્પોથી આકુલિતચલિત થતું નથી તે આત્માના યથાર્થ સ્વરૂપનેપરમાત્મસ્વરૂપને અનુભવે છે; બીજો કોઈ રાગદ્વેષાદિથી આકુલિત અનાત્મદર્શી જન તેને અનુભવી શકતો નથી.

જેમ તરંગોથી ઊછળતા પાણીમાં અંદર રહેલી વસ્તુ દેખાતી નથી, તેમ રાગ દ્વેષાદિરૂપ તરંગોથીવિકલ્પોથી ચંચલ બનેલા મનરૂપી જલમાં અર્થાત્ જ્ઞાનજલમાં આત્મ તત્ત્વ દેખાતું નથી. નિર્વિકલ્પ દશામાં જ આત્મદર્શન થાય છે; સવિક્લ્પ દશામાં આત્માનુભવ થતો નથી.

રાગાદિક-કલ્લોલથી મન-જળ લોલ ન થાય,
તે દેખે ચિદ્તત્ત્વને, અન્ય જને ન જણાય. ૩૫.
૧૧