Samadhitantra (Gujarati). Gatha: 36.

< Previous Page   Next Page >


Page 55 of 170
PDF/HTML Page 84 of 199

 

૬૮સમાધિતંત્ર

किं पुनस्तत्त्वशब्देनोच्यत इत्याह

अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः
धारयेत्तदविक्षिप्तं विक्षिप्तं नाश्रयेत्ततः ।।३६।।

टीकाअविक्षिप्तं रागाद्यपरिणतं देहादिनाऽऽत्मनोऽभेदाध्यवसायपरिहारेण स्वस्वरूप एव निश्चिलतां गतम् इत्थं भूतं मनः तत्त्वं वास्तवं रूपमात्मनः विक्षिप्तं उक्तविपरीतं

વિશેષ

વસ્તુસ્વરૂપ સમજી અતીન્દ્રિય આત્મસ્વરૂપની સન્મુખ થતાં રાગદ્વેષાદિ વિકલ્પો સ્વયં શાન્ત થઈ જાય છે. તેને શમાવવા માટે આત્મસન્મુખતા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઉપયોગ અંતર્મુખ થતાં રાગદ્વેષાદિનો અભાવ થાય છે, નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે અને પરમાત્મતત્ત્વનો આનંદ અનુભવમાં આવે છે. તે વખતે બહારની ગમે તેવી અનુકૂળતા કે પ્રતિકૂળતા હોય તો પણ ચિત્ત મલિન થતું નથી. આવો જીવ સ્વરૂપમાં લીન થઈ અકથ્ય આનંદશાન્તિ અનુભવે છે, પરંતુ બાહ્ય પદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટની કલ્પના કરી જેનું ચિત્ત રાગદ્વેષાદિ કષાયોથી આકુલિત થાય છે તેને શુદ્ધાત્માનો આનંદ આવતો નથી; અર્થાત્ તેને શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ૩૫.

વળી તત્ત્વ શબ્દથી શું કહેવા માગે છે તે કહે છેઃ

શ્લોક ૩૬

અન્વયાર્થ : (अविक्षिप्तं) અવિક્ષિપ્ત (मनः) મન છે તે (आत्मनः तत्त्वं) આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે અને (विक्षिप्तं) વિક્ષિપ્ત મન છે તે (आत्मनः भ्रान्तिः) આત્મવિભ્રમ છે (ततः) તેથી (तम् अविक्षिप्तं) તે અવિક્ષિપ્ત મનને (धारयेत्) ધારણ કરવું અને (विक्षिप्तं) વિક્ષિપ્ત મનનો (न आश्रयेत्) આશ્રય કરવો નહિ.

ટીકા : અવિક્ષિપ્ત એટલે રાગાદિથી અપરિણતદેહાદિ સાથે આત્માના અભેદ (એકરૂપ)ના અધ્યવસાય (મિથ્યા અભિપ્રાય)નો પરિહાર કરીને સ્વસ્વરૂપમાં જ નિશ્ચલ (સ્થિર) થઈ ગએલું એવું મન તે આત્મતત્ત્વ એટલે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે.

વિક્ષિપ્ત એટલે ઉપર કહ્યું તેનાથી વિપરીત (અર્થાત્ રાગાદિથી પરિણત તથા દેહ અને

અવિક્ષિપ્ત મન તત્ત્વ નિજ, ભ્રમ છે મન વિક્ષિપ્ત;
અવિક્ષિપ્ત મનને ધરો, ધરો ન મન વિક્ષિપ્ત. ૩૬.