Samadhitantra (Gujarati). Gatha: 37.

< Previous Page   Next Page >


Page 57 of 170
PDF/HTML Page 86 of 199

 

૭૦સમાધિતંત્ર

कुतः पुनर्मनसो विक्षेपो भवति कुतश्चाविक्षेप इत्याह

अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः
तदेव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते ।।३७।।

टीकाशरीरादौ शुचिस्थिरात्मीयादिज्ञानान्यविद्यास्तासामभ्यासः पुनः पुनः प्रवृत्तिस्तेन जनिताः संस्कारा वासनास्तैः कृत्वा अवशं विषयेन्द्रियाधीनमनात्मायत्तमित्यर्थः क्षिप्यते विक्षिप्तं भवति मनः तदेव मनः ज्ञानसंस्कारैरात्मनः शरीरादिभ्यो भेदज्ञानाभ्यासैः स्वतः स्वयमेव तत्त्वे आत्मस्वरूपे अवतिष्ठते ।।३७।।

વળી કયા કારણથી મનનો વિક્ષેપ થાય છે અને કયા કારણે તેનો અવિક્ષેપ થાય છે તે કહે છેઃ

શ્લોક ૩૭

અન્વયાર્થ : (अविद्याभ्याससंस्कारैः) અવિદ્યાના અભ્યાસથી ઉત્પન્ન થયેલા સંસ્કારો (मनः) મન (अवशं) અવશપણેસ્વાધીન નહિ રહેવાથી (क्षिप्यते) વિક્ષિપ્ત થાય છે. (तत् एव) તે જ મન (ज्ञानसंस्कारैः) ભેદજ્ઞાનના સંસ્કારો દ્વારા (स्वतः) સ્વતઃ (तत्त्वे) આત્મસ્વરૂપમાં (अवतिष्ठते) સ્થિર થાય છે.

ટીકા : શરીર વગેરેને પવિત્ર, સ્થિર અને આત્મીય (પોતાનું) આદિ માનવારૂપ જે અવિદ્યા (અજ્ઞાન) તેનો અભ્યાસ અર્થાત્ તેની વારંવાર પ્રવૃત્તિ તેનાથી ઉત્પન્ન થયેલા સંસ્કારો એટલે વાસનાઓતે વડે કરીને અવશઅર્થાત્ વિષયો અને ઇન્દ્રિયોને આધીન એટલે આત્માને આધીન તે મન વિક્ષેપ પામે છે; એટલે વિક્ષિપ્ત થાય છે. તે જ મન, જ્ઞાનસંસ્કારો વડે અર્થાત્ આત્માને શરીરાદિથી ભિન્ન જાણવારૂપ અભ્યાસ વડે, સ્વતઃ એટલે સ્વયં જ તત્ત્વમાં અર્થાત્ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે.

ભાવાર્થ : શરીરાદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ કરવી તે અજ્ઞાન છેઅવિદ્યા છે. તેના પુનઃ પુનઃ પ્રવૃત્તિરૂપ અભ્યાસથી ઉત્પન્ન થયેલા સંસ્કારોથી મન પરવશ થઈનેપરાધીન થઈને રાગીદ્વેષી બની જાય છેવિક્ષિપ્ત થાય છે. આ જ મન ભેદજ્ઞાનના સંસ્કારોથી સ્વતઃ એટલે પોતાની મેળે આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે.

અજ્ઞાનજ સંસ્કારથી મન વિક્ષેપિત થાય;
જ્ઞાનજ સંસ્કારે સ્વતઃ તત્ત્વ વિષે સ્થિર થાય. ૩૭.