Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 58 of 170
PDF/HTML Page 87 of 199

 

સમાધિતંત્ર૭૧

શરીર જડ છે, અપવિત્ર છે, અસ્થિર છે ને પર છે. તેમાં આત્માની કલ્પના કરી તેને પવિત્ર, સ્થિર ને પોતાનું માનવું તથા જ્ઞાન અને રાગને એક માનવા અર્થાત્ શુભ ભાવથી લાભ માનવો તે અવિદ્યા છેઅજ્ઞાન છે. આ અજ્ઞાનતાનેઊંધી માન્યતા અને ઊંધા જ્ઞાનને વારંવાર અંદર ઘૂંટવાથી અને તદનુસાર આચરણ કરવાથી વાસનારૂપ સંસ્કારો ઉત્પન્ન થાય છે. આ સંસ્કારોથી મન પોતાને વશસ્વાધીન વર્તતું નથી, પરંતુ પરવશ બને છેઅર્થાત્ વિષયો અને ઇન્દ્રિયોને આધીન થઈ ક્ષુબ્ધ થાય છેવિક્ષિપ્ત થાય છે. આવુંરાગદ્વેષ આકુલિત મન બાહ્ય વિષયોમાં જ પ્રવર્તે છે, જ્ઞાનસ્વરૂપમાં સ્થિર થતું નથી.

હું શરીરાદિથી અને રાગદ્વેષાદિ વિકારોથી ભિન્ન, પવિત્ર, સ્થિર અને જ્ઞાયકસ્વરૂપ છુંએવા સ્વપરના ભેદવિજ્ઞાન દ્વારા ઉત્પન્ન થયેલા જ્ઞાનસંસ્કારોથી તે જ મન સ્વયં સ્વાધીનપણેપોતાની જ મેળે રાગદ્વેષાદિથી રહિત થાય છેઅવિક્ષિપ્ત થાય છે અને આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે.

વિશેષ

શુદ્ધાત્માની વારંવાર ભાવનાથી જ્ઞાનના સંસ્કારો ઉત્પન્ન થાય છે. તેનાથ મન રાગ દ્વેષ રહિત થઈ સમાધિમાં ઠરે છે.

‘હું શુદ્ધજ્ઞાનસ્વરૂપ પરમાત્મા છું; શરીરમનવાણીરૂપ હું નથી. હું તેનાથી ભિન્ન છું’એવી વારંવાર ભાવના ભાવવાથી તેના સંસ્કારો દ્રઢ થાય છે અને તેવા સંસ્કારોથી ચૈતન્યસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે.

માટે જ્ઞાનસંસ્કાર સમાધિનું કારણ છે અને અવિદ્યાના સંસ્કાર અસમાધિનું કારણ છે.

જ્ઞાનસંસ્કારો દ્વારા જેમ જેમ સ્વરૂપમાં સ્થિરતા વધતી જાય છે, તેમ તેમ રાગ દ્વેષાદિ ભાવો છૂટતા જાય છે અને વીતરાગતા વધતી જાય છે. માટે જ્યાં સુધી મન (જ્ઞાનનો ઉપયોગ) બાહ્ય વિષયોથી છૂટી આત્મસ્વરૂપમાં સ્થિર ન થાય ત્યાં સુધી આત્મતત્ત્વની ભાવના કર્યા જ કરવી.

શ્રી સમયસાર કલશ૧૩૦માં કહ્યું છે કેઃ

भावयेद्भेदविज्ञानमिदमछिन्नधारया।
तावद्यावत् पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।।१३०।।

૧. જુઓસમાધિતંત્ર શ્લોક ૨૮૨