Samadhitantra (Gujarati). Gatha: 38.

< Previous Page   Next Page >


Page 59 of 170
PDF/HTML Page 88 of 199

 

૭૨સમાધિતંત્ર

चित्तस्य विक्षेपेऽविक्षेपे च फलं दर्शयन्नाह

अपमानादयस्तस्य विक्षेपो यस्य चेतसः
नापमानादयस्तस्य न क्षेपो यस्य चेतसः ।।३८।।

टीकाअपमानो महत्त्वखंडनं अवज्ञा च स आदिर्येषां मदेर्ष्यामात्सर्यादिनां ते अपमानादयो भवन्ति यस्य चेतसो विक्षेपो रागादिपरिणतिर्भवति यस्य पुनश्चेतसो न क्षेपो विक्षेपो

‘‘આ ભેદવિજ્ઞાન અછિન્નધારાથીઅર્થાત્ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપેત્યાં સુધી ભાવવું, કે જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ (પોતાના સ્વરૂપમાં જ) ઠરી જાય.’’

અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો, મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યગ્જ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે, ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય; બીજું જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું.’’

આ શ્લોકમાં ‘स्वतः’ શબ્દ એ સૂચવે છે કે જીવ સ્વયં પોતાના સમ્યક્ પુરુષાર્થથી પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે, બીજા કોઈ કારણે નહિ. ૩૭.

મનના વિક્ષેપનું અને અવિક્ષેપનું ફલ બતાવી કહે છેઃ

શ્લોક ૩૮

અન્વયાર્થ : (यस्य चेतसः) જેના મનમાં (विक्षेपः) વિક્ષેપરાગાદિ પરિણામ થાય છે, (तस्य) તેને (अपमानादयः) અપમાનાદિક હોય છે, પણ (यस्य चेतसः) જેના મનમાં (क्षेपः न) ક્ષેપરાગાદિરૂપ પરિણામ થતાં નથી (तस्य) તેને (अपमानादयः न) અપમાન તિરસ્કારાદિ હોતાં નથી.

ટીકા : જેનું મન વિક્ષેપ પામે છે અર્થાત્ રાગાદિરૂપે પરિણમે છે, તેને અપમાનાદિ અર્થાત્ અપમાન એટલે પોતાના મહત્ત્વનું ખંડનઅવજ્ઞા, મદ, ઇર્ષ્યા, માત્સર્ય, વગેરે થાય ૧. જુઓઃ શ્રી સમયસાર કલશ૧૩૦. ગુ. આવૃત્તિમાં ભાવાર્થ

અપમાનાદિક તેહને, જસ મનને વિક્ષેપ;
અપમાનાદિ ન તેહને, જસ મન નહિ વિક્ષેપ. ૩૮.