Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


Page 60 of 170
PDF/HTML Page 89 of 199

 

સમાધિતંત્ર૭૩

नास्ति तस्य नापमानादयो भवन्ति ।।३८।।

अपमानादिनां चापगम उपायमाह છે, પરંતુ જેના મનમાં વિક્ષેપ થતો નથી, તેને અપમાનાદિ થતાં નથી.

ભાવાર્થ : જેનું મન રાગદ્વેષાદિ વિકારોથી વિક્ષિપ્ત થાય છે, તેને જ માન અપમાનાદિની લાગણી થાય છે, પરંતુ જેનું મન રાગદ્વેષરૂપે પરિણમતું નથી તેને અપમાનાદિની લાગણી ઉદ્ભવતી નથી. તે માનઅપમાનમાં સમભાવે વર્તે છે.

મોહરાગદ્વેષાદિ વિભાવોમાં વર્તતો જીવ જ માનઅપમાનની કલ્પનાથી દુઃખી થાય છે, પરંતુ જેનું ચિત્ત રાગદ્વેષમોહાદિ વિભાવોથી રહિત થઈ પોતાના જ્ઞાનસ્વરૂપમાં સ્થિર થાય છે તેને માનઅપમાનની કલ્પનાઓ ઉત્પન્ન થતી નથી, કારણ કે જ્ઞાનાનંદમાં લીન થતાં કોણ બહુમાન કરે છે કોણ અપમાન કરે છેએવો વિકલ્પ જ ઊઠતો નથી. તે જ્ઞાતાદ્રષ્ટાપણે રહે છે.

વિશેષ

જ્ઞાનીને શત્રુમિત્ર પ્રત્યે, માનઅપમાનના પ્રસંગે, જીવન કે મરણના વિષયમાં અને સંસાર કે મોક્ષમાં સમભાવસમદર્શિતા વર્તે છે.

‘‘જ્ઞાનભાવના છોડીને અજ્ઞાનથી જે જીવ પર સંયોગમાં માનઅપમાનની બુદ્ધિ કરે છે તે અજ્ઞાની છે. જેને જ્ઞાનસ્વભાવની ભાવના નથી એવા અજ્ઞાનીને જ બાહ્યદ્રષ્ટિથી એકાંત માનઅપમાનરૂપ પરિણમન થાય છે. જ્ઞાનસ્વભાવની ભાવનામાં જ્ઞાનીને જ્ઞાનનું જ પરિણમન થાય છે, માનઅપમાનરૂપ પરિણમન થતું નથી; જરાક રાગદ્વેષની વૃત્તિ થાય, ત્યાં તે વૃત્તિને પણ જ્ઞાનથી ભિન્નરૂપ જ જાણે છે ને જ્ઞાનસ્વભાવની જ ભાવના વડે જ્ઞાનની અધિકતારૂપે જ પરિણમે છે.’’ ૩૮.

અપમાનાદિને દૂર કરવાનો ઉપાયઃ ૧. ‘‘શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,

માનઅમાને વર્તે તે જ સ્વભાવ જો;
જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા,
ભવ
મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો......અપૂર્વ૦’’......૧૦
(શ્રીમદ્ રાજચંદ્ર‘અપૂર્વ અવસર’)

૨. જુઓ‘આત્મધર્મ’.