Samadhitantra (Gujarati). Gatha: 39.

< Previous Page   Next Page >


Page 61 of 170
PDF/HTML Page 90 of 199

 

૭૪સમાધિતંત્ર

यदा मोहात्प्रजायेते रागद्वेषौ तपस्विनः
तदैव भावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ।।३९।।

टीकामोहान्मोहनीयकर्मोदयात् यदा प्रजायेते उत्पद्येते कौ ? रागद्वेषौ कस्य ? तपस्विनः तदैव रागद्वेषोदयकाल एव आत्मानं स्वस्थं बाह्यविषयाद्व्यावृत्तस्वरूपस्थं भावयेत् शाम्यत उपशमं गच्छतः रागद्वेषौ क्षणात् क्षणमात्रेण ।।३९।।

શ્લોક ૩૯

અન્વયાર્થ : (यदा) જે સમયે (तपस्विनः) તપસ્વી અન્તરાત્માને (मोहात्) મોહવશાત્ (रागद्वेषौ) રાગ અને દ્વેષ (प्रजायेते) ઉત્પન્ન થાય (तदा एव) તે જ સમયે તે તપસ્વીએ (स्वस्थं आत्मानं) શુદ્ધસ્વરૂપની (भावयेत्) ભાવના કરવી. એમ કરવાથી રાગ દ્વેષાદિ (क्षणात्) ક્ષણવારમાં (शाम्यतः) શાન્ત થઈ જાય છે.

ટીકા : મોહથી એટલે મોહનીય કર્મના ઉદય નિમિત્તે, જ્યારે પેદા થાયઉત્પન્ન થાય, કોણ (બે)? રાગ અને દ્વેષ. કોને (ઉત્પન્ન થાય)? તપસ્વીને, ત્યારે જ અર્થાત્ રાગદ્વેષના ઉદયકાલે જ સ્વસ્થ આત્માનીઅર્થાત્ બાહ્ય વિષયોથી વ્યાવૃત્ત થઈ (પાછો હઠી) સ્વરૂપમાં સ્થિત થયેલા આત્માનીભાવના કરવી. તેમ કરવાથી રાગદ્વેષ ક્ષણમાંક્ષણમાત્રમાં ઉપશમે છે એટલે શાંત થઈ જાય છે.

ભાવાર્થ : અસ્થિરતાના કારણે મોહવશ જ્યારે અંતરાત્માને રાગદ્વેષાદિ ઉત્પન્ન થાય ત્યારે ચિત્તને પર પદાર્થોથી હઠાવી સ્વસન્મુખ વાળી શુદ્ધાત્માને ભાવવો. તેમ કરવાથી ક્ષણવારમાં રાગદ્વેષાદિ શાન્ત થઈ જાય છે.

ભેદવિજ્ઞાન દ્વારા આત્મા અને શરીરાદિને ભિન્ન ભિન્ન જાણીને શુદ્ધાત્માની ભાવના કરવી તે જ રાગદ્વેષાદિ વિકારોને નાશ કરવાનો ઉપાય છે.

વિશેષ

સમ્યગ્દ્રષ્ટિ જીવને ભૂમિકાનુસાર રાગદ્વેષ થાય છે. પણ તેને તે વખતે અંતરમાં આત્માનું ભેદજ્ઞાન છે. તે બાહ્ય નિમિત્તો અને વિકારને પોતાના આત્મસ્વરૂપથી ભિન્ન માને છે. તે માટે તેને આદર નથી. અવશપણેઅસ્થિરતાને લીધે જે રાગદ્વેષ થાય છે તેને તે

યોગીજનને મોહથી રાગદ્વેષ જો થાય;
સ્વસ્થ નિજાત્મા ભાવવો, ક્ષણભરમાં શમી જાય. ૩૯.