Samadhitantra (Gujarati). Gatha: 40.

< Previous Page   Next Page >


Page 62 of 170
PDF/HTML Page 91 of 199

 

સમાધિતંત્ર૭૫

तत्र रागद्वेषयोर्विषयं विपक्षं च दर्शयन्नाह

यत्र काये मुनेः प्रेम ततः प्रच्याव्य देहिनम्
बुद्धया तदुत्तमे काये योजयेत्प्रेम नश्यति ।।४०।।

टीकायत्रात्मीये परकीये वा काये शरीरे इन्द्रियविषयसङ्घाते मुनेः प्रेम स्नेहः ततः कायात्प्रच्याव्य व्यावर्त्य देहिनं आत्मानम् कया ? बुद्धया विवेकज्ञानेन पश्चात्तदुत्तमे काये तस्माद् प्रागुक्तकायादुत्तमे चिदानन्दमये काये आत्मस्वरूपे योजयेत् कया कृत्वा ? बुद्धया પોતાનું સ્વરૂપ માનતો નથી. તેને તો પોતાના સ્વરૂપ તરફ જ દ્રષ્ટિ છે. તે અસ્થિરતાના રાગ દ્વેષને ટાળવા માટે ચૈતન્યસ્વભાવની જ ભાવના ભાવે છે.

માટે આચાર્ય સમ્યગ્દ્રષ્ટિઓને ઉદ્દેશી કહે છે કેજ્યારે ચારિત્રની નબળાઈથી રાગ દ્વેષાદિ વિકારી વૃત્તિઓનું ઉત્થાન થાય, ત્યારે આત્મસ્વરૂપની ભાવના કરવી. તેનાથી વૃત્તિઓ શાન્ત થઈ જશે. રાગદ્વેષાદિના શમન માટે શુદ્ધાત્માની ભાવનાએ એક રામબાણ ઉપાય છે. ૩૯.

હવે રાગદ્વેષના વિષયને તથા વિપક્ષને દર્શાવતાં કહે છેઃ

શ્લોક ૪૦

અન્વયાર્થ : (यत्र काये) શરીરમાં (मुनेः) મુનિનેઅન્તરાત્માને (प्रेम) પ્રેમ હોય (ततः) તેનાથી એટલે શરીરાદિથી (बुद्धया) ભેદવિજ્ઞાન દ્વારા (देहिनम्) આત્માને (प्रच्याव्य) વ્યાવૃત્ત કરીનેપાછો હઠાવીને (तदुत्तमे काये) તેનાથી ઉત્તમ ચિદાનંદ કાયમાંઆત્મસ્વરૂપમાં (योजयेत्) લગાવવો. એમ કરવાથી (प्रेम नश्यति) બાહ્ય શરીર અને ઇન્દ્રિયવિષયો તરફનો પ્રેમ (રાગનો વિકલ્પ) નાશ પામે છે.

ટીકા : જ્યાં પોતાની વા પારકી કાયમાં એટલે શરીરમાંઅર્થાત્ ઇન્દ્રિયવિષયના સમૂહમાં મુનિનો પ્રેમસ્નેહ હોય, ત્યાંથી એટલે શરીરથી દેહીને એટલે આત્માને વ્યાવૃત્ત કરીનેપાછો વાળીને, શા વડે? બુદ્ધિ વડેવિવેકજ્ઞાન વડે, પછી ઉત્તમ કાયમાંઅર્થાત્ અગાઉ કહેલી કાય કરતાં ઉત્તમ કાયમાંચિદાનન્દમય કાયમાં એટલે આત્મસ્વરૂપમાં તેને (પ્રેમને) જોડવો. શા વડે કરીને? બુદ્ધિ વડેઅન્તદ્રષ્ટિવડે. પછી શું થાય છે? પ્રેમ નાશ પામે છે એટલે શરીર પ્રત્યેનો પ્રેમ રહેતો નથી.

તનમાં મુનિને પ્રેમ જો, ત્યાંથી કરી વિયુક્ત,
શ્રેષ્ઠ તને જીવ જોડવો, થશે પ્રેમથી મુક્ત. ૪૦.
૧૨