[ 7 ]
તેમનું નામ :
તેમનું દીક્ષા નામ દેવનન્દી હતું; અને પાછળથી તેઓ પૂજ્યપાદ, જિનેન્દ્રબુદ્ધિ આદિ અપર નામોથી લોકમાં પ્રસિદ્ધ થયા.
શ્રવણ બેલ્ગોલાના શિલાલેખમાં ઉલ્લેખ છે કે–
यो देवनन्दिप्रथमाभिधानो बुद्धया महत्या स जिनेन्द्रबुद्धिः ।
श्री पूज्यपादोऽजनि देवताभिर्यत्पूजितं पादयुगं यदीयम् ।।
(–શ્રવણ બેલ્ગોલ શિલાલેખ નં. ૪૦ (૬૪); શક સં. ૧૦૮૫)
प्रागभ्यधायि गुरुणा किल देवनन्दी,
बुद्धया पुनर्विंपुलया स जिनेन्द्रबुद्धिः ।
बुद्धया पुनर्विंपुलया स जिनेन्द्रबुद्धिः ।
श्री पूज्यपाद इति चैव बुधैः प्रचरण्ये,
यत्पूजितः पदयुगे वनदेवताभिः ।।
यत्पूजितः पदयुगे वनदेवताभिः ।।
(–શ્ર. શિલાલેખ નં. ૧૦૫ (૨૫૪); શક સં. ૧૧૨૦)
ઉપરોક્ત લેખોથી જણાય છે કે તેઓ ત્રણ નામ–દેવનન્દી, જિનેન્દ્રબુદ્ધિ અને પૂજ્યપાદથી પ્રસિદ્ધ હતા. દેવનન્દી–એ તેમના ગુરુએ આપેલું દીક્ષાનામ છે, બુદ્ધિની પ્રકર્ષતા– વિપુલતાના કારણે તેઓએ પાછળથી ‘જિનેન્દ્રબુદ્ધિ’–એ નામ પ્રાપ્ત કર્યું અને તેમના ચરણયુગલની દેવતાઓએ પૂજા કરી તેથી બુધજનોએ તેમને ‘પૂજ્યપાદ’ નામથી વિભૂષિત કર્યા. તેમની અદ્ભુત જીવન-ઘટનાઓ :
નીચેના શિલાલેખો તેમના જીવન ઉપર સારો પ્રકાશ પાડે છે :–
श्रीपूज्यपादोद्धृतधर्मराज्यस्ततः सुराधीश्वरपूज्यपादः ।
यदीयवैदुष्यगुणानिदानीं वदन्ति शास्त्राणि तदुद्धृतानि ।।
धृतविश्वबुद्धिरयमत्र योगिभिः कृतकृत्यभावमनुबिभ्रदुच्चकैः ।
जिनवद् बभूव यदनङ्गचापहृत्स जिनेन्द्रबुद्धिरिति साधुवर्णित्तः ।।
(–શ્ર. શિલાલેખ નં. ૧૦૮ (૨૫૮); શક સં. ૧૩૫૫)
श्रीपूज्यपादमुनिरप्रतिमौषर्द्धि र्जीयाद्विदेहजिनदर्शनपूतगात्रः ।
यत्पादधौतजलसंस्पर्शप्रभावात् कालायसं किल तदा कनकीयकार ।।
(શ્ર. શિલાલેખ નં. ૧૦૮ (૨૫૮)
ઉપરોક્ત શિલાલેખોમાં દર્શાવ્યું છે કે—