Samadhitantra (Gujarati). Gatha: 45.

< Previous Page   Next Page >


Page 70 of 170
PDF/HTML Page 99 of 199

 

સમાધિતંત્ર૮૩

दृश्यमानादभेदाध्यवसायेन यः पुनरवबुद्धोऽन्तरात्मा स इदमात्मतत्त्वमित्येवं मन्यते पुनस्त्रिलिङ्गत्तया तस्याः शरीरधर्मतया आत्मस्वरूपत्वाभावात् कथम्भूतमिदमात्मस्वरूपं निष्पन्नमनादिसंसिद्धम् तथा शब्दवर्जितं विकल्पाभिधानाऽगोचरम् ।।४४।।

ननु यद्यन्तरात्मैवात्मानं प्रतिपद्यते तदा कथं पुमानहं गौरोऽहमित्यादिरूपा तस्य कदाचिदभेदभ्रांतिः स्यात् इति वदन्तं प्रत्याह

जानन्नप्यात्मनस्तत्त्वं विविक्तं भावयन्नपि
पूर्वविभ्रमसंस्काराद् भ्रान्तिं भूयोपि गच्छति ।।४५।।

માન્યતાને લીધે આ આત્મતત્ત્વને ત્રિલિંગરૂપ માને છે;

પણ જે જ્ઞાની અન્તરાત્મા છે, તે ‘આ આત્મતત્ત્વ છે, તે ત્રિલિંગરૂપે નથી’ એવું માને છે, કારણ કે શરીરધર્મપણાના કારણે તેનો (ત્રિલિંગપણાનો) આત્મસ્વરૂપપણામાં અભાવ છે. આ આત્મસ્વરૂપ કેવું છે? તે નિષ્પન્ન અર્થાત્ અનાદિ સંસિદ્ધ છે તથા શબ્દવર્જિત એટલે નામાદિ વિકલ્પોથી અગોચર છે.

ભાવાર્થ : બહિરાત્માને શરીરાદિ સાથે એકતાબુદ્ધિઅભેદબુદ્ધિ હોવાથી, સ્ત્રીપુરુષ નપુંસક એ ત્રિલિંગરૂપ શરીર જે દ્રષ્ટિગોચર છે તેને આત્મા માને છે; પરંતુ અન્તરાત્મા માને છે કે, ‘‘આ આત્મા તો અનાદિ સંસિદ્ધ તથા નામાદિ વિકલ્પોથી રહિત છે. સ્ત્રીપુરુષાદિ ત્રિલિંગ એ શરીરના ધર્મ છે, અર્થાત્ પૌદ્ગલિક છે. તે આત્મસ્વરૂપમાં નથી.’’

અજ્ઞાની જીવને શરીરથી ભિન્ન આત્મતત્ત્વની પ્રતીતિ નથી; તે સ્ત્રીપુરુષનપુંસકરૂપ ત્રિલિંગાત્મક દ્રશ્યમાન શરીરને જ આત્મા માને છે.

સમ્યગ્દ્રષ્ટિને વસ્તુસ્વરૂપનું જ્ઞાન છે અને શરીરથી ભિન્ન ચૈતન્યરૂપ આત્મતત્ત્વની પ્રતીત છે, તેથી તે પોતાના આત્માને તદ્રૂપ જ અનુભવે છે, પણ તેને ત્રિલિંગરૂપ અનુભવતો નથી, તેને તો તે અનાદિ સિદ્ધ તથા નિર્વિકલ્પ સમજે છે.

એ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની શરીર સંબંધી માન્યતા એકબીજાથી વિપરીત છે. ૪૪. જો અન્તરાત્મા જ આત્માને અનુભવે છે, તો પછી ‘હું પુરુષ, હું ગોરો’ ઇત્યાદિ અભેદરૂપ ભ્રાન્તિ તેને કદાચિત્ કેમ થાય છે? એવું બોલનાર પ્રતિ કહે છેઃ

યદ્યપિ આત્મ જણાય ને ભિન્નપણે વેદાય,
પૂર્વભ્રાન્તિ-સંસ્કારથી પુનરપિ વિભ્રમ થાય. ૪૫.
૧૩