दृश्यमानादभेदाध्यवसायेन । यः पुनरवबुद्धोऽन्तरात्मा स इदमात्मतत्त्वमित्येवं मन्यते । न पुनस्त्रिलिङ्गत्तया । तस्याः शरीरधर्मतया आत्मस्वरूपत्वाभावात् । कथम्भूतमिदमात्मस्वरूपं निष्पन्नमनादिसंसिद्धम् तथा शब्दवर्जितं विकल्पाभिधानाऽगोचरम् ।।४४।।
ननु यद्यन्तरात्मैवात्मानं प्रतिपद्यते तदा कथं पुमानहं गौरोऽहमित्यादिरूपा तस्य कदाचिदभेदभ्रांतिः स्यात् इति वदन्तं प्रत्याह —
માન્યતાને લીધે આ આત્મ – તત્ત્વને ત્રિલિંગરૂપ માને છે;
પણ જે જ્ઞાની અન્તરાત્મા છે, તે ‘આ આત્મ – તત્ત્વ છે, તે ત્રિલિંગરૂપે નથી’ એવું માને છે, કારણ કે શરીરધર્મપણાના કારણે તેનો (ત્રિલિંગપણાનો) આત્મસ્વરૂપપણામાં અભાવ છે. આ આત્મસ્વરૂપ કેવું છે? તે નિષ્પન્ન અર્થાત્ અનાદિ સંસિદ્ધ છે તથા શબ્દવર્જિત એટલે નામાદિ વિકલ્પોથી અગોચર છે.
ભાવાર્થ : બહિરાત્માને શરીરાદિ સાથે એકતાબુદ્ધિ – અભેદબુદ્ધિ હોવાથી, સ્ત્રી – પુરુષ – નપુંસક એ ત્રિલિંગરૂપ શરીર જે દ્રષ્ટિગોચર છે તેને આત્મા માને છે; પરંતુ અન્તરાત્મા માને છે કે, ‘‘આ આત્મા તો અનાદિ સંસિદ્ધ તથા નામાદિ વિકલ્પોથી રહિત છે. સ્ત્રી – પુરુષાદિ ત્રિલિંગ એ શરીરના ધર્મ છે, અર્થાત્ પૌદ્ગલિક છે. તે આત્મસ્વરૂપમાં નથી.’’
અજ્ઞાની જીવને શરીરથી ભિન્ન આત્મ – તત્ત્વની પ્રતીતિ નથી; તે સ્ત્રી – પુરુષ – નપુંસકરૂપ ત્રિલિંગાત્મક દ્રશ્યમાન શરીરને જ આત્મા માને છે.
સમ્યગ્દ્રષ્ટિને વસ્તુસ્વરૂપનું જ્ઞાન છે અને શરીરથી ભિન્ન ચૈતન્યરૂપ આત્મ – તત્ત્વની પ્રતીત છે, તેથી તે પોતાના આત્માને તદ્રૂપ જ અનુભવે છે, પણ તેને ત્રિલિંગરૂપ અનુભવતો નથી, તેને તો તે અનાદિ સિદ્ધ તથા નિર્વિકલ્પ સમજે છે.
એ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની શરીર સંબંધી માન્યતા એકબીજાથી વિપરીત છે. ૪૪. જો અન્તરાત્મા જ આત્માને અનુભવે છે, તો પછી ‘હું પુરુષ, હું ગોરો’ ઇત્યાદિ અભેદરૂપ ભ્રાન્તિ તેને કદાચિત્ કેમ થાય છે? એવું બોલનાર પ્રતિ કહે છેઃ —