કહાનજૈનશાસ્ત્રમાળા ]
न पुनरन्य इत्यात्मनि निश्चित्य प्रत्याख्यानसमये प्रत्याख्येयोपाधिमात्रप्रवर्तितकर्तृत्वव्यपदेशत्वेऽपि परमार्थेनाव्यपदेश्यज्ञानस्वभावादप्रच्यवनात् प्रत्याख्यानं ज्ञानमेवेत्यनुभवनीयम् ।
यथा हि कश्चित्पुरुषः सम्भ्रान्त्या रजकात्परकीयं चीवरमादायात्मीयप्रतिपत्त्या परिधाय આત્મામાં નિશ્ચય કરીને, પ્રત્યાખ્યાનના (ત્યાગના) સમયે પ્રત્યાખ્યાન કરવાયોગ્ય જે પરભાવ તેની ઉપાધિમાત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ (આત્માને) હોવા છતાં પણ, પરમાર્થથી જોવામાં આવે તો પરભાવના ત્યાગકર્તાપણાનું નામ પોતાને નથી, પોતે તો એ નામથી રહિત છે કારણ કે જ્ઞાનસ્વભાવથી પોતે છૂટ્યો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે — એમ અનુભવ કરવો.
ભાવાર્થઃ — આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું છે તે નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવ છે. પરદ્રવ્યને પર જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ નહિ તે જ ત્યાગ છે. એ રીતે, સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે, જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી.
હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું તેનું દ્રષ્ટાંત શું છે? તેના ઉત્તરરૂપ દ્રષ્ટાંત-દાર્ષ્ટાંતની ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [यथा नाम] જેમ લોકમાં [कः अपि पुरुषः] કોઈ પુરુષ [परद्रव्यम् इदम् इति ज्ञात्वा] પરવસ્તુને ‘આ પરવસ્તુ છે’ એમ જાણે ત્યારે એવું જાણીને [त्यजति] પરવસ્તુને ત્યાગે છે, [तथा] તેવી રીતે [ज्ञानी] જ્ઞાની [सर्वान्] સર્વ [परभावान्] પરદ્રવ્યોના ભાવોને [ज्ञात्वा] ‘આ પરભાવ છે’ એમ જાણીને [विमुञ्चति] તેમને છોડે છે.
ટીકાઃ — જેમ — કોઈ પુરુષ ધોબીના ઘરેથી ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી, પોતાનું જાણી