Samaysar (Gujarati). Kalash: 31 Gatha: 38.

< Previous Page   Next Page >


Page 81 of 642
PDF/HTML Page 112 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

પૂર્વરંગ
૮૧

निर्ममत्वोऽस्मि, सर्वदैवात्मैकत्वगतत्वेन समयस्यैवमेव स्थितत्वात् इतीत्थं ज्ञेयभावविवेको भूतः

(मालिनी)
इति सति सह सर्वैरन्यभावैर्विवेके
स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम्
प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तैः
कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः
।।३१।।

अथैवं दर्शनज्ञानचारित्रपरिणतस्यास्यात्मनः कीद्रक् स्वरूपसञ्चेतनं भवतीत्यावेदयन्नुप- संहरति

अहमेक्को खलु सुद्धो दंसणणाणमइओ सदारूवी
ण वि अत्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि ।।३८।।

રહે છે; (પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી). આ પ્રકારે જ્ઞેયભાવોથી ભેદજ્ઞાન થયું.

અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે

શ્લોકાર્થ[इति] આમ પૂર્વોક્ત પ્રકારે ભાવકભાવ અને જ્ઞેયભાવોથી ભેદજ્ઞાન થતાં [सर्वैः अन्यभावैः सह विवेके सति] સર્વ અન્યભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે [अयं उपयोगः] આ ઉપયોગ છે તે [स्वयं] પોતે જ [एकं आत्मानम्] પોતાના એક આત્માને જ [बिभ्रत्] ધારતો, [प्रकटितपरमार्थैः दर्शनज्ञानवृत्तैः कृतपरिणतिः] જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવાં દર્શનજ્ઞાનચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો, [आत्म-आरामे एव प्रवृत्तः] પોતાના આત્મારૂપી બાગ(ક્રીડાવન)માં જ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી.

ભાવાર્થસર્વ પરદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા જ રહ્યો, અન્ય ઠેકાણું ન રહ્યું. આ રીતે દર્શનજ્ઞાનચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મામાં જ રમણ કરે છે એમ જાણવું. ૩૧.

હવે, એ રીતે દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ પરિણત થયેલા આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે એમ કહેતાં આચાર્ય આ કથનને સંકોચે છે, સમેટે છે

હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે;
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮.
11