કહાનજૈનશાસ્ત્રમાળા ]
यथैष राजा पंच योजनान्यभिव्याप्य निष्क्रामतीत्येकस्य पंच योजनान्यभिव्याप्तुम- शक्यत्वाद्वयवहारिणां बलसमुदाये राजेति व्यवहारः, परमार्थतस्त्वेक एव राजा; तथैष जीवः समग्रं रागग्राममभिव्याप्य प्रवर्तत इत्येकस्य समग्रं रागग्राममभिव्याप्तुमशक्यत्वाद्वयवहारिणामध्यव- सानादिष्वन्यभावेषु जीव इति व्यवहारः, परमार्थतस्त्वेक एव जीवः ।
ગાથાર્થઃ — જેમ કોઈ રાજા સેના સહિત નીકળ્યો ત્યાં [राजा खलु निर्गतः] ‘આ રાજા નીકળ્યો’ [इति एषः] એમ આ જે [बलसमुदयस्य] સેનાના સમુદાયને [आदेशः] કહેવામાં આવે છે તે [व्यवहारेण तु उच्यते] વ્યવહારથી કહેવામાં આવે છે, [तत्र] તે સેનામાં (વાસ્તવિકપણે) [एकः निर्गतः राजा] રાજા તો એક જ નીકળ્યો છે; [एवम् एव च] તેવી જ રીતે [अध्यवसानाद्यन्य- भावानाम्] અધ્યવસાન આદિ અન્યભાવોને [जीवः इति] ‘(આ) જીવ છે’ એમ [सूत्रे] પરમાગમમાં કહ્યું છે તે [व्यवहारः कृतः] વ્યવહાર કર્યો છે, [तत्र निश्चितः] નિશ્ચયથી વિચારવામાં આવે તો તેમનામાં [जीवः एकः] જીવ તો એક જ છે.
ટીકાઃ — જેમ આ રાજા પાંચ યોજનના ફેલાવથી નીકળી રહ્યો છે એમ કહેવું તે, એક રાજાનું પાંચ યોજનમાં ફેલાવું અશક્ય હોવાથી, વ્યવહારી લોકોનો સેનાસમુદાયમાં રાજા કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો રાજા એક જ છે, (સેના રાજા નથી); તેવી રીતે આ જીવ સમગ્ર રાગગ્રામમાં ( – રાગનાં સ્થાનોમાં) વ્યાપીને પ્રવર્તી રહ્યો છે એમ કહેવું તે, એક જીવનું સમગ્ર રાગગ્રામમાં વ્યાપવું અશક્ય હોવાથી, વ્યવહારી લોકોનો અધ્યવસાનાદિક અન્યભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો જીવ એક જ છે, (અધ્યવસાનાદિક ભાવો જીવ નથી).