૧૧૬
क त्वव्याप्तस्याभवतश्च जीवस्य वर्णादिभिः सह तादात्म्यलक्षणः सम्बन्धो न कथञ्चनापि स्यात् ।
यथा वर्णादयो भावाः क्रमेण भाविताविर्भावतिरोभावाभिस्ताभिस्ताभिर्व्यक्तिभिः હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોતો નથી તોપણ મોક્ષ-અવસ્થામાં જે સર્વથા વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાપ્ત હોતો નથી એવા જીવનો વર્ણાદિભાવોની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ કોઈ પણ પ્રકારે નથી.
ભાવાર્થઃ — દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિષે દ્રવ્યમાં જે ભાવો વ્યાપે તે ભાવો સાથે દ્રવ્યનો તાદાત્મ્યસંબંધ કહેવાય છે. પુદ્ગલની સર્વ અવસ્થાઓને વિષે પુદ્ગલમાં વર્ણાદિભાવો વ્યાપે છે તેથી વર્ણાદિભાવો સાથે પુદ્ગલનો તાદાત્મ્યસંબંધ છે. સંસાર-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો કોઈ પ્રકારે કહી શકાય છે પણ મોક્ષ-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો સર્વથા નથી તેથી વર્ણાદિભાવો સાથે જીવનો તાદાત્મ્યસંબંધ નથી એ ન્યાય છે.
હવે, જીવનું વર્ણાદિક સાથે તાદાત્મ્ય છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ કરે તો તેમાં આ દોષ આવે છે એમ ગાથામાં બતાવે છેઃ —
ગાથાર્થઃ — વર્ણાદિકની સાથે જીવનું તાદાત્મ્ય માનનારને કહે છે કેઃ હે મિથ્યા અભિપ્રાયવાળા! [यदि हि च] જો તું [इति मन्यसे] એમ માને કે [एते सर्वे भावाः] આ વર્ણાદિક સર્વ ભાવો [जीवः एव हि] જીવ જ છે, [तु] તો [ते] તારા મતમાં [जीवस्य च अजीवस्य] જીવ અને અજીવનો [ कश्चित् ] કાંઈ [विशेषः] ભેદ [नास्ति] રહેતો નથી.
ટીકાઃ — જેમ વર્ણાદિક ભાવો, ક્રમે આવિર્ભાવ (પ્રગટ થવું, ઊપજવું) અને તિરોભાવ (ઢંકાવું, નાશ થવું) પામતી એવી તે તે વ્યક્તિઓ વડે (અર્થાત્ પર્યાયો વડે) પુદ્ગલદ્રવ્યની