Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 118 of 642
PDF/HTML Page 149 of 673

 

૧૧૮

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ संसारस्थानां जीवानां तव भवन्ति वर्णादयः
तस्मात्संसारत्था जीवा रूपित्वमापन्नाः ।।६३।।
एवं पुद्गलद्रव्यं जीवस्तथालक्षणेन मूढमते
निर्वाणमुपगतोऽपि च जीवत्वं पुद्गलः प्राप्तः ।।६४।।

यस्य तु संसारावस्थायां जीवस्य वर्णादितादात्म्यमस्तीत्यभिनिवेशस्तस्य तदानीं स जीवो रूपित्वमवश्यमवाप्नोति रूपित्वं च शेषद्रव्यासाधारणं कस्यचिद्द्रव्यस्य लक्षणमस्ति ततो रूपित्वेन लक्ष्यमाणं यत्किञ्चिद्भवति स जीवो भवति रूपित्वेन लक्ष्यमाणं पुद्गलद्रव्यमेव भवति एवं पुद्गलद्रव्यमेव स्वयं जीवो भवति, न पुनरितरः कतरोऽपि तथा च सति, मोक्षावस्थायामपि नित्यस्वलक्षणलक्षितस्य द्रव्यस्य सर्वास्वप्यवस्थास्वनपायित्वादनादिनिधनत्वेन पुद्गलद्रव्यमेव स्वयं जीवो भवति, न पुनरितरः कतरोऽपि तथा च सति, तस्यापि पुद्गलेभ्यो भिन्नस्य

ગાથાર્થ[अथ] અથવા જો [तव] તારો મત એમ હોય કે [ संसारस्थानां जीवानां ] સંસારમાં સ્થિત જીવોને જ [वर्णादयः] વર્ણાદિક (તાદાત્મ્યસ્વરૂપે) [भवन्ति] છે, [ तस्मात् ] તો તે કારણે [संसारस्थाः जीवाः] સંસારમાં સ્થિત જીવો [रूपित्वम् आपन्नाः] રૂપીપણાને પામ્યા; [एवं] એમ થતાં, [तथालक्षणेन] તેવું લક્ષણ તો (અર્થાત્ રૂપીપણું લક્ષણ તો) પુદ્ગલદ્રવ્યનું હોવાથી, [मूढमते] હે મૂઢબુદ્ધિ! [पुद्गलद्रव्यं] પુદ્ગલદ્રવ્ય તે જ [जीवः] જીવ ઠર્યું [च] અને (માત્ર સંસાર- અવસ્થામાં જ નહિ પણ) [निर्वाणम् उपगतः अपि] નિર્વાણ પામ્યે પણ [पुद्गलः] પુદ્ગલ જ [जीवत्वं] જીવપણાને [प्राप्तः] પામ્યું!

ટીકાવળી, સંસાર-અવસ્થામાં જીવને વર્ણાદિભાવો સાથે તાદાત્મ્યસંબંધ છે એવો જેનો અભિપ્રાય છે, તેના મતમાં સંસાર-અવસ્થા વખતે તે જીવ અવશ્ય રૂપીપણાને પામે છે; અને રૂપીપણું તો કોઈ દ્રવ્યનું, બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું લક્ષણ છે. માટે રૂપીપણા(લક્ષણ)થી લક્ષિત (લક્ષ્યરૂપ થતું, ઓળખાતું) જે કાંઈ હોય તે જીવ છે. રૂપીપણાથી લક્ષિત તો પુદ્ગલદ્રવ્ય જ છે. એ રીતે પુદ્ગલદ્રવ્ય જ પોતે જીવ છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ નથી. આમ થતાં, મોક્ષ-અવસ્થામાં પણ પુદ્ગલદ્રવ્ય જ પોતે જીવ (ઠરે) છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ (ઠરતો) નથી; કારણ કે સદાય પોતાના સ્વલક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય બધીયે અવસ્થાઓમાં હાનિ અથવા ઘસારો નહિ પામતું હોવાથી અનાદિ- અનંત હોય છે. આમ થવાથી, તેના મતમાં પણ (અર્થાત્ સંસાર-અવસ્થામાં જ જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય માનનારના મતમાં પણ); પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ