Samaysar (Gujarati). Kalash: 40.

< Previous Page   Next Page >


Page 122 of 642
PDF/HTML Page 153 of 673

 

૧૨૨

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

यत्किल बादरसूक्ष्मैकेन्द्रियद्वित्रिचतुःपञ्चेन्द्रियपर्याप्तापर्याप्ता इति शरीरस्य संज्ञाः सूत्रे जीवसंज्ञात्वेनोक्ताः अप्रयोजनार्थः परप्रसिद्धया घृतघटवद्वयवहारः यथा हि कस्यचिदाजन्म- प्रसिद्धैकघृतकुम्भस्य तदितरकुम्भानभिज्ञस्य प्रबोधनाय योऽयं घृतकुम्भः स मृण्मयो, न घृतमय इति तत्प्रसिद्धया कुम्भे घृतकुम्भव्यवहारः, तथास्याज्ञानिनो लोकस्यासंसारप्रसिद्धाशुद्धजीवस्य शुद्धजीवानभिज्ञस्य प्रबोधनाय योऽयं वर्णादिमान् जीवः स ज्ञानमयो, न वर्णादिमय इति तत्प्रसिद्धया जीवे वर्णादिमद्वयवहारः

(अनुष्टुभ्)
घृतकुम्भाभिधानेऽपि कुम्भो घृतमयो न चेत्
जीवो वर्णादिमज्जीवजल्पनेऽपि न तन्मयः ।।४०।।

બાદર આદિ [ये च एव] જેટલી [देहस्य] દેહને [जीवसंज्ञाः] જીવસંજ્ઞા કહી છે તે બધી [सूत्रे] સૂત્રમાં [व्यवहारतः] વ્યવહારથી [उक्ताः] કહી છે.

ટીકાબાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાપ્ત, અપર્યાપ્તએ દેહની સંજ્ઞાઓને (નામોને) સૂત્રમાં જીવસંજ્ઞાપણે કહી છે, તે, પરની પ્રસિદ્ધિને લીધે, ‘ઘીના ઘડા’ની જેમ વ્યવહાર છેકે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે (અર્થાત્ તેમાં પ્રયોજનભૂત વસ્તુ નથી). તે વાતને સ્પષ્ટ કહે છે

જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ‘ઘીનો ઘડો’ જ પ્રસિદ્ધ (જાણીતો) હોય, તે સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય, તેને સમજાવવા ‘‘જે આ ‘ઘીનો ઘડો’ છે તે માટીમય છે, ઘીમય નથી’’ એમ (સમજાવનાર વડે) ઘડામાં ‘ઘીના ઘડા’નો વ્યવહાર કરવામાં આવે છે, કારણ કે પેલા પુરુષને ‘ઘીનો ઘડો’ જ પ્રસિદ્ધ (જાણીતો) છે; તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને ‘અશુદ્ધ જીવ’ જ પ્રસિદ્ધ છે, શુદ્ધ જીવને તે જાણતો નથી, તેને સમજાવવા (શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા) ‘‘જે આ ‘વર્ણાદિમાન (વર્ણાદિવાળો) જીવ’ છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી’’ એમ (સૂત્ર વિષે) જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, કારણ કે તે અજ્ઞાની લોકને ‘વર્ણાદિમાન જીવ’ જ પ્રસિદ્ધ છે.

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થ[चेत्] જો [घृतकुम्भाभिधाने अपि] ‘ઘીનો ઘડો’ એમ કહેતાં પણ [कुम्भः घृतमयः न] ઘડો છે તે ઘીમય નથી (માટીમય જ છે), [वर्णादिमत्-जीव-जल्पने अपि] તો તેવી રીતે ‘વર્ણાદિવાળો જીવ’ એમ કહેતાં પણ [जीवः न तन्मयः] જીવ છે તે વર્ણાદિમય નથી (જ્ઞાનઘન જ છે).