Samaysar (Gujarati). Gatha: 69-70.

< Previous Page   Next Page >


Page 130 of 642
PDF/HTML Page 161 of 673

 

૧૩૦

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोह्णं पि
अण्णाणी तावदु सो कोहादिसु वट्टदे जीवो ।।६९।।
कोहादिसु वट्टंतस्स तस्स कम्मस्स संचओ होदि
जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरिसीहिं ।।७०।।
यावन्न वेत्ति विशेषान्तरं त्वात्मास्रवयोर्द्वयोरपि
अज्ञानी तावत्स क्रोधादिषु वर्तते जीवः ।।६९।।
क्रोधादिषु वर्तमानस्य तस्य कर्मणः सञ्चयो भवति
जीवस्यैवं बन्धो भणितः खलु सर्वदर्शिभिः ।।७०।।
यथायमात्मा तादात्म्यसिद्धसम्बन्धयोरात्मज्ञानयोरविशेषाद्भेदमपश्यन्नविशङ्कमात्मतया ज्ञाने

ભાવાર્થઆવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. ૪૬.

હવે, જ્યાં સુધી આ જીવ આસ્રવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આસ્રવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે એમ ગાથામાં કહે છે

આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં,
ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯.
જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે,
સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦.

ગાથાર્થ[ जीवः ] જીવ [ यावत् ] જ્યાં સુધી [ आत्मास्रवयोः द्वयोः अपि तु ] આત્મા અને આસ્રવએ બન્નેના [ विशेषान्तरं ] તફાવત અને ભેદને [ न वेत्ति ] જાણતો નથી [ तावत् ] ત્યાં સુધી [ सः ] તે [ अज्ञानी ] અજ્ઞાની રહ્યો થકો [ क्रोधादिषु ] ક્રોધાદિક આસ્રવોમાં [ वर्तते ] પ્રવર્તે છે; [ क्रोधादिषु ] ક્રોધાદિકમાં [ वर्तमानस्य तस्य ] વર્તતા તેને [ कर्मणः ] કર્મનો [ सञ्चयः ] સંચય [ भवति ] થાય છે. [ खलु ] ખરેખર [ एवं ] આ રીતે [ जीवस्य ] જીવને [ बन्धः ] કર્મોનો બંધ [ सर्वदर्शिभिः ] સર્વજ્ઞદેવોએ [ भणितः ] કહ્યો છે.

ટીકાજેમ આ આત્મા, જેમને તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે એવાં આત્મા અને જ્ઞાનમાં