૧૩૦
ભાવાર્થઃ — આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. ૪૬.
હવે, જ્યાં સુધી આ જીવ આસ્રવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આસ્રવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે એમ ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [ जीवः ] જીવ [ यावत् ] જ્યાં સુધી [ आत्मास्रवयोः द्वयोः अपि तु ] આત્મા અને આસ્રવ — એ બન્નેના [ विशेषान्तरं ] તફાવત અને ભેદને [ न वेत्ति ] જાણતો નથી [ तावत् ] ત્યાં સુધી [ सः ] તે [ अज्ञानी ] અજ્ઞાની રહ્યો થકો [ क्रोधादिषु ] ક્રોધાદિક આસ્રવોમાં [ वर्तते ] પ્રવર્તે છે; [ क्रोधादिषु ] ક્રોધાદિકમાં [ वर्तमानस्य तस्य ] વર્તતા તેને [ कर्मणः ] કર્મનો [ सञ्चयः ] સંચય [ भवति ] થાય છે. [ खलु ] ખરેખર [ एवं ] આ રીતે [ जीवस्य ] જીવને [ बन्धः ] કર્મોનો બંધ [ सर्वदर्शिभिः ] સર્વજ્ઞદેવોએ [ भणितः ] કહ્યો છે.
ટીકાઃ — જેમ આ આત્મા, જેમને તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે એવાં આત્મા અને જ્ઞાનમાં