Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 134 of 642
PDF/HTML Page 165 of 673

 

૧૩૪

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ज्ञात्वा आस्रवाणामशुचित्वं च विपरीतभावं च
दुःखस्य कारणानीति च ततो निवृत्तिं करोति जीवः ।।७२।।

जले जम्बालवत्कलुषत्वेनोपलभ्यमानत्वादशुचयः खल्वास्रवाः, भगवानात्मा तु नित्यमेवाति- निर्मलचिन्मात्रत्वेनोपलम्भकत्वादत्यन्तं शुचिरेव जडस्वभावत्वे सति परचेत्यत्वादन्यस्वभावाः खल्वास्रवाः, भगवानात्मा तु नित्यमेव विज्ञानघनस्वभावत्वे सति स्वयं चेतकत्वादनन्यस्वभाव एव आकुलत्वोत्पादकत्वाद्दुःखस्य कारणानि खल्वास्रवाः, भगवानात्मा तु नित्यमेवानाकुलत्व- स्वभावेनाकार्यकारणत्वाद्दुःखस्याकारणमेव इत्येवं विशेषदर्शनेन यदैवायमात्मात्मास्रवयोर्भेदं जानाति तदैव क्रोधादिभ्य आस्रवेभ्यो निवर्तते, तेभ्योऽनिवर्तमानस्य पारमार्थिकतद्भेदज्ञाना- सिद्धेः ततः क्रोधाद्यास्रवनिवृत्त्यविनाभाविनो ज्ञानमात्रादेवाज्ञानजस्य पौद्गलिकस्य कर्मणो

ગાથાર્થ[ आस्रवाणाम् ] આસ્રવોનું [ अशुचित्वं च ] અશુચિપણું અને [ विपरीतभावं च ] વિપરીતપણું [ च ] તથા [ दुःखस्य कारणानि इति ] તેઓ દુઃખનાં કારણ છે એમ [ ज्ञात्वा ] જાણીને [ जीवः ] જીવ [ ततः निवृत्तिं ] તેમનાથી નિવૃત્તિ [ करोति ] કરે છે.

ટીકાજળમાં શેવાળ છે તે મળ છેમેલ છે; તે શેવાળની માફક આસ્રવો મળપણેમેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે (અપવિત્ર છે); અને ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ ચૈતન્યમાત્રસ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ જ છે (પવિત્ર જ છે; ઉજ્જ્વળ જ છે). આસ્રવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવાયોગ્ય છે (કારણ કે જે જડ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે) માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે; અને ભગવાન આત્મા તો, પોતાને સદાય વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, પોતે જ ચેતક (જ્ઞાતા) છે (પોતાને અને પરને જાણે છે) માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે (અર્થાત્ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો નથી). આસ્રવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણો છે; અને ભગવાન આત્મા તો, સદાય નિરાકુળતા-સ્વભાવને લીધે, કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી, દુઃખનું અકારણ જ છે (અર્થાત્ દુઃખનું કારણ નથી). આ પ્રમાણે વિશેષ (તફાવત) દેખીને જ્યારે આ આત્મા, આત્મા અને આસ્રવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે, કારણ કે તેમનાથી જે નિવર્તતો ન હોય તેને આત્મા અને આસ્રવોના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. માટે ક્રોધાદિક આસ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાનમાત્રથી જ, અજ્ઞાનથી થતો જે પૌદ્ગલિક કર્મનો બંધ