કહાનજૈનશાસ્ત્રમાળા ]
पुद्गलपरिणामनिमित्तकस्य ज्ञानस्यैव ज्ञातुर्व्याप्यत्वात् ।
व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः ।
ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान् ।।४९।।
પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે; કારણ કે પુદ્ગલને અને આત્માને જ્ઞેયજ્ઞાયકસંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. (માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે.)
શ્લોકાર્થઃ — [ व्याप्यव्यापकता तदात्मनि भवेत् ] વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય, [ अतदात्मनि अपि न एव ] અતત્સ્વરૂપમાં ન જ હોય. અને [ व्याप्यव्यापकभावसम्भवम् ऋते ] વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના [ कर्तृकर्मस्थितिः का ] કર્તાકર્મની સ્થિતિ કેવી? અર્થાત્ કર્તાકર્મની સ્થિતિ ન જ હોય. [ इति उद्दाम-विवेक-घस्मर-महोभारेण ] આવો પ્રબળ વિવેકરૂપ, અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી [ तमः भिन्दन् ] અજ્ઞાન-અંધકારને ભેદતો, [ सः एषः पुमान् ] આ આત્મા [ ज्ञानीभूय ] જ્ઞાનસ્વરૂપ થઈને, [ तदा ] તે કાળે [ कर्तृत्वशून्यः लसितः ] કર્તૃત્વરહિત થયેલો શોભે છે.
ભાવાર્થઃ — જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે, (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ) હોય; અતત્સ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા – સત્ત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થોમાં) ન જ હોય. જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તાકર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ ન હોય. આવું જે જાણે તે પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે, કર્તાકર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતાદ્રષ્ટા — જગતનો સાક્ષીભૂત — થાય છે. ૪૯.