૧૬૦
એક વાર પણ વિલય પામે તો ફરીને ન આવે, એમ હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ इह ] આ જગતમાં [ मोहिनाम् ] મોહી (અજ્ઞાની) જીવોનો ‘[ परं अहम् कुर्वे ] પરદ્રવ્યને હું કરું છું’ [ इति महाहङ्काररूपं तमः ] એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર — [ ननु उच्चकैः दुर्वारं ] કે જે અત્યંત દુર્નિવાર છે તે — [ आसंसारतः एव धावति ] અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. આચાર્ય કહે છે કેઃ [ अहो ] અહો! [ भूतार्थपरिग्रहेण ] પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી [ यदि ] જો [ तत् एकवारं विलयं व्रजेत् ] તે એક વાર પણ નાશ પામે [ तत् ] તો [ ज्ञानघनस्य आत्मनः ] જ્ઞાનઘન આત્માને [ भूयः ] ફરી [ बन्धनम् किं भवेत् ] બંધન કેમ થાય? (જીવ જ્ઞાનઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન ક્યાં જતું રહે? ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ ક્યાંથી થાય? કદી ન થાય.)
ભાવાર્થઃ — અહીં તાત્પર્ય એમ છે કે — અજ્ઞાન તો અનાદિનું જ છે પરંતુ પરમાર્થનયના ગ્રહણથી, દર્શનમોહનો નાશ થઈને, એક વાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યક્ત્વ ઊપજે તો ફરી મિથ્યાત્વ ન આવે. મિથ્યાત્વ નહિ આવતાં મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે અર્થાત્ મોક્ષ જ થાય એમ જાણવું. ૫૫.
ફરીને વિશેષતાથી કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ आत्मा ] આત્મા તો [ सदा ] સદા [ आत्मभावान् ] પોતાના ભાવોને [ करोति ] કરે છે અને [ परः ] પરદ્રવ્ય [ परभावान् ] પરના ભાવોને કરે છે; [ हि ] કારણ કે [ आत्मनः भावाः ] પોતાના ભાવો છે તે તો [ आत्मा एव ] પોતે જ છે અને [ परस्य ते ] પરના ભાવો છે તે [ परः एव ] પર જ છે (એ નિયમ છે.). ૫૬.
(પરદ્રવ્યના કર્તાકર્મપણાની માન્યતાને અજ્ઞાન કહીને એમ કહ્યું કે જે એવું માને તે મિથ્યાદ્રષ્ટિ છે; ત્યાં આશંકા ઊપજે છે કે — આ મિથ્યાત્વાદિ ભાવો શી વસ્તુ છે? જો તેમને જીવના પરિણામ કહેવામાં આવે તો પહેલાં રાગાદિ ભાવોને પુદ્ગલના પરિણામ કહ્યા હતા તે કથન સાથે વિરોધ આવે છે; અને જો પુદ્ગલના પરિણામ કહેવામાં આવે તો જેમની સાથે જીવને કાંઈ પ્રયોજન નથી તેમનું ફળ જીવ કેમ પામે? આ આશંકા દૂર કરવાને હવે ગાથા કહે છેઃ — )