કહાનજૈનશાસ્ત્રમાળા ]
मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो हि भावाः ते तु प्रत्येकं मयूरमुकुरन्दवज्जीवाजीवाभ्यां भाव्यमानत्वाज्जीवाजीवौ । तथाहि — यथा नीलहरितपीतादयो भावाः स्वद्रव्यस्वभावत्वेन मयूरेण भाव्यमानाः मयूर एव, यथा च नीलहरितपीतादयो भावाः स्वच्छताविकारमात्रेण मुकुरन्देन भाव्यमाना मुकुरन्द एव; तथा मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो भावाः स्वद्रव्यस्वभावत्वेनाजीवेन भाव्यमाना अजीव एव, तथैव च मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो भावाश्चैतन्यविकारमात्रेण
ગાથાર્થઃ — [ पुनः ] વળી, [ मिथ्यात्वं ] જે મિથ્યાત્વ કહ્યું તે [ द्विविधं ] બે પ્રકારે છે — [ जीवः अजीवः ] એક જીવમિથ્યાત્વ અને એક અજીવમિથ્યાત્વ; [ तथा एव ] અને એવી જ રીતે [ अज्ञानम् ] અજ્ઞાન, [ अविरतिः ] અવિરતિ, [ योगः ] યોગ, [ मोहः ] મોહ અને [ क्रोधाद्याः ] ક્રોધાદિ કષાયો — [ इमे भावाः ] આ (સર્વ) ભાવો જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે છે.
ટીકાઃ — મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક, મયૂર અને દર્પણની જેમ, અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. તે દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ — જેમ ઘેરો વાદળી, લીલો, પીળો આદિ (વર્ણરૂપ) ભાવો કે જેઓ મોરના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે ( – બનાવાય છે, થાય છે) તેઓ મોર જ છે અને (દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતા) ઘેરો વાદળી, લીલો, પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ (દર્પણની) સ્વચ્છતાના વિકારમાત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે તેઓ દર્પણ જ છે; તેવી જ રીતે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેઓ અજીવ જ છે અને * ૮૬મી ગાથામાં દ્વિક્રિયાવાદીને મિથ્યાદ્રષ્ટિ કહ્યા હતા તેની સાથે સંબંધ કરવાને અહીં ‘पुनः’