૧૭૬
मनागपि न करोति; ततः समस्तमपि कर्तृत्वमपास्यति; ततो नित्यमेवोदासीनावस्थो जानन् एवास्ते; ततो निर्विकल्पोऽकृतक एको विज्ञानघनो भूतोऽत्यन्तमकर्ता प्रतिभाति ।
ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः ।
गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम् ।।५७।।
તે હું નથી’ એમ જાણતો થકો ‘હું ક્રોધ છું’ ઇત્યાદિ આત્મવિકલ્પ જરા પણ કરતો નથી; તેથી સમસ્ત કર્તૃત્વને છોડી દે છે; તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણ્યા જ કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે.
ભાવાર્થઃ — જે પરદ્રવ્યના અને પરદ્રવ્યના ભાવોના કર્તૃત્વને અજ્ઞાન જાણે તે પોતે કર્તા શા માટે બને? અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કર્તા બને! માટે જ્ઞાન થયા પછી પરદ્રવ્યનું કર્તાપણું રહેતું નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ किल ] નિશ્ચયથી [ स्वयं ज्ञानं भवन् अपि ] સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં [ अज्ञानतः तु ] અજ્ઞાનને લીધે [ यः ] જે જીવ, [ सतृणाभ्यवहारकारी ] ઘાસ સાથે ભેળસેળ સુંદર આહારને ખાનારા હાથી આદિ તિર્યંચની માફક, [ रज्यते ] રાગ કરે છે (અર્થાત્ રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે) [ असौ ] તે, [ दधीक्षुमधुराम्लरसातिगृद्धया ] દહીં- ખાંડના અર્થાત્ શિખંડના ખાટા-મીઠા રસની અતિ લોલુપતાથી [ रसालम् पीत्वा ] શિખંડને પીતાં છતાં [ गां दुग्धम् दोग्धि इव नूनम् ] પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના જેવો છે.
ભાવાર્થઃ — જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી તેમ અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી; તેથી તે એકાકારપણે રાગાદિમાં વર્તે છે. જેમ શિખંડનો ગૃદ્ધી માણસ, સ્વાદભેદ નહિ પારખતાં, શિખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે તેમ અજ્ઞાની જીવ સ્વ-પરના ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે. ૫૭.