Samaysar (Gujarati). Kalash: 60-61.

< Previous Page   Next Page >


Page 178 of 642
PDF/HTML Page 209 of 673

 

૧૭૮

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मन्दाक्रान्ता)
ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्यव्यवस्था
ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः
ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातोः
क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम्
।।६०।।
(अनुष्टुभ्)
अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमञ्जसा
स्यात्कर्तात्मात्मभावस्य परभावस्य न क्वचित् ।।६१।।

જાણે છે [ सः ] તે (જેમ હંસ મિશ્રિત થયેલાં દૂધજળને જુદાં કરીને દૂધ ગ્રહણ કરે છે તેમ) [ अचलं चैतन्यधातुम् ] અચળ ચૈતન્યધાતુમાં [ सदा ] સદા [ अधिरूढः ] આરૂઢ થયો થકો (અર્થાત્ તેનો આશ્રય કરતો થકો) [ जानीत एव हि ] માત્ર જાણે જ છે, [ किञ्चन अपि न करोति ] કાંઈ પણ કરતો નથી (અર્થાત્ જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી).

ભાવાર્થજે સ્વ-પરનો ભેદ જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી. ૫૯.
હવે, જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ કહે છે

શ્લોકાર્થ[ ज्वलन-पयसोः औष्ण्य-शैत्य-व्यवस्था ] (ગરમ પાણીમાં) અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ [ ज्ञानात् एव ] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. [ लवणस्वादभेदव्युदासः ज्ञानात् एव उल्लसति ] લવણના સ્વાદભેદનું નિરસન (નિરાકરણ, અસ્વીકાર, ઉપેક્ષા) જ્ઞાનથી જ થાય છે (અર્થાત્ જ્ઞાનથી જ શાક વગેરેમાંના લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદવિશેષ નિરસ્ત થાય છે). [ स्वरसविकसन्नित्यचैतन्यधातोः च क्रोधादेः भिदा ] નિજ રસથી વિકસતી નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિ ભાવોનો ભેદ, [ कर्तृभावम् भिन्दती ] કર્તૃત્વને (કર્તાપણાના ભાવને) ભેદતો થકોતોડતો થકો, [ ज्ञानात् एव प्रभवति ] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. ૬૦.

હવે, અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે પરંતુ પુદ્ગલના ભાવને કદી કરતો નથીએવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છે

શ્લોકાર્થ[ एवं ] આ રીતે [ अञ्जसा ] ખરેખર [ आत्मानम् ] પોતાને [ अज्ञानं ज्ञानम् अपि ] અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ [ कुर्वन् ] કરતો [ आत्मा आत्मभावस्य कर्ता स्यात् ] આત્મા પોતાના જ ભાવનો કર્તા છે, [ परभावस्य ] પરભાવનો (પુદ્ગલના ભાવોનો) કર્તા તો [ क्वचित् न ] કદી નથી. ૬૧.