Samaysar (Gujarati). Gatha: 99.

< Previous Page   Next Page >


Page 180 of 642
PDF/HTML Page 211 of 673

 

૧૮૦

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

त्यस्ति व्यामोहः

स न सन्
जदि सो परदव्वाणि य करेज्ज णियमेण तम्मओ होज्ज
जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता ।।९९।।
यदि स परद्रव्याणि च कुर्यान्नियमेन तन्मयो भवेत्
यस्मान्न तन्मयस्तेन स न तेषां भवति कर्ता ।।९९।।

यदि खल्वयमात्मा परद्रव्यात्मकं कर्म कुर्यात् तदा परिणामपरिणामिभावान्यथानुप- पत्तेर्नियमेन तन्मयः स्यात्; न च द्रव्यान्तरमयत्वे द्रव्योच्छेदापत्तेस्तन्मयोऽस्ति ततो व्याप्य- व्यापकभावेन न तस्य कर्तास्ति


હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથીકરે છે, એવો વ્યવહારી જીવોનો વ્યામોહ (ભ્રાંતિ, અજ્ઞાન) છે.

ભાવાર્થઘટ-પટ, કર્મ-નોકર્મ ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે.

વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છે

પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને,
પણ તે નથી તન્મય અરે! તેથી નહીં કર્તા ઠરે. ૯૯.

ગાથાર્થ[ यदि च ] જો [ सः ] આત્મા [ परद्रव्याणि ] પરદ્રવ્યોને [ कुर्यात् ] કરે તો તે [ नियमेन ] નિયમથી [ तन्मयः ] તન્મય અર્થાત્ પરદ્રવ્યમય [ भवेत् ] થઈ જાય; [ यस्मात् न तन्मयः ] પરંતુ તન્મય નથી [ तेन ] તેથી [ सः ] તે [ तेषां ] તેમનો [ कर्ता ] કર્તા [ न भवति ] નથી.

ટીકાજો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો, પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પરદ્રવ્યમય) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્ય-વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી.

ભાવાર્થએક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કર્તાકર્મપણું અથવા પરિણામ-પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક