૧૮૮
यथा युद्धपरिणामेन स्वयं परिणममानैः योधैः कृते युद्धे युद्धपरिणामेन स्वयमपरिणम- मानस्य राज्ञो राज्ञा किल कृतं युद्धमित्युपचारो, न परमार्थः । तथा ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयं परिणममानेन पुद्गलद्रव्येण कृते ज्ञानावरणादिकर्मणि ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयमपरिणममानस्यात्मनः किलात्मना कृतं ज्ञानावरणादिकर्मेत्युपचारो, न परमार्थः ।
ભાવાર્થઃ — કદાચિત્ થતા નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર છે.
હવે, એ ઉપચાર કઈ રીતે છે તે દ્રષ્ટાંતથી કહે છેઃ —
ગાથાર્થઃ — [ योधैः ] યોદ્ધાઓ વડે [ युद्धे कृते ] યુદ્ધ કરવામાં આવતાં, ‘[ राज्ञा कृतम् ] રાજાએ યુદ્ધ કર્યું’ [ इति ] એમ [ लोकः ] લોક [ जल्पते ] (વ્યવહારથી) કહે છે [ तथा ] તેવી રીતે ‘[ ज्ञानावरणादि ] જ્ઞાનાવરણાદિ કર્મ [ जीवेन कृतं ] જીવે કર્યું’ [ व्यवहारेण ] એમ વ્યવહારથી કહેવાય છે.
ટીકાઃ — જેમ યુદ્ધપરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં, યુદ્ધપરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા વિષે ‘રાજાએ યુદ્ધ કર્યું’ એવો ઉપચાર છે, પરમાર્થ નથી; તેમ જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતાં, જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતા એવા આત્મા વિષે ‘આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું’ એવો ઉપચાર છે, પરમાર્થ નથી.
ભાવાર્થઃ — યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં ‘રાજાએ યુદ્ધ કર્યું’ એમ ઉપચારથી કહેવાય છે તેમ પુદ્ગલદ્રવ્યે જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં ‘જીવે કર્મ કર્યું’ એમ ઉપચારથી કહેવાય છે.