૧૯૨
ગાથાર્થઃ — [ चत्वारः ] ચાર [ सामान्यप्रत्ययाः ] સામાન્ય ✽પ્રત્યયો [ खलु ] નિશ્ચયથી [ बन्धकर्तारः ] બંધના કર્તા [ भण्यन्ते ] કહેવામાં આવે છે — [ मिथ्यात्वम् ] મિથ્યાત્વ, [ अविरमणं ] અવિરમણ [ च ] તથા [ कषाययोगौ ] કષાય અને યોગ (એ ચાર) [ बोद्धव्याः ] જાણવા. [ पुनः अपि च ] અને વળી [ तेषां ] તેમનો, [ अयं ] આ [ त्रयोदशविकल्पः ] તેર પ્રકારનો [ भेदः तु ] ભેદ [ भणितः ] કહેવામાં આવ્યો છે — [ मिथ्यादृष्टयादिः ] મિથ્યાદ્રષ્ટિ(ગુણસ્થાન)થી માંડીને [ सयोगिनः चरमान्तः यावत् ] સયોગકેવળી(ગુણસ્થાન)ના ચરમ સમય સુધીનો. [ एते ] આ (પ્રત્યયો અથવા ગુણસ્થાનો) [ खलु ] કે જેઓ નિશ્ચયથી [ अचेतनाः ] અચેતન છે [ यस्मात् ] કારણ કે [ पुद्गलकर्मोदयसम्भवाः ] પુદ્ગલકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે [ ते ] તેઓ [ यदि ] જો [ कर्म ] કર્મ [ कुर्वन्ति ] કરે તો ભલે કરે; [ तेषां ] તેમનો (કર્મોનો) [ वेदकः अपि ] ભોક્તા પણ [ आत्मा न ] આત્મા નથી. [ यस्मात् ] જેથી [ एते ] આ [ गुणसंज्ञिताः तु ] ‘ગુણ’ નામના [ प्रत्ययाः ] પ્રત્યયો [ कर्म ] કર્મ [ कुर्वन्ति ] કરે છે [ तस्मात् ] તેથી [ जीवः ] જીવ તો [ अकर्ता ] કર્મનો અકર્તા છે [ च ] અને [ गुणाः ] ‘ગુણો’ જ [ कर्माणि ] કર્મોને [ कुर्वन्ति ] કરે છે. ✽પ્રત્યયો = કર્મબંધનાં કારણો અર્થાત્ આસ્રવો