૨૦૦
ગાથાર્થઃ — સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ આચાર્ય કહે છે કે હે ભાઈ! [एषः] આ [जीवः] જીવ [कर्मणि] કર્મમાં [स्वयं] સ્વયં [बद्धः न] બંધાયો નથી અને [क्रोधादिभिः] ક્રોધાદિભાવે [स्वयं] સ્વયં [न परिणमते] પરિણમતો નથી [यदि तव] એમ જો તારો મત હોય [तदा] તો તે (જીવ) [अपरिणामी] અપરિણામી [भवति] ઠરે છે; અને [जीवे] જીવ [स्वयं] પોતે [क्रोधादिभिः भावैः] ક્રોધાદિભાવે [अपरिणममाने] નહિ પરિણમતાં, [संसारस्य] સંસારનો [अभावः] અભાવ [प्रसजति] ઠરે છે [वा] અથવા [सांख्यसमयः] સાંખ્યમતનો પ્રસંગ આવે છે.
[पुद्गलकर्म क्रोधः] વળી પુદ્ગલકર્મ જે ક્રોધ તે [जीवं] જીવને [क्रोधत्वम्] ક્રોધપણે [परिणामयति] પરિણમાવે છે એમ તું માને તો એ પ્રશ્ન થાય છે કે [स्वयम् अपरिणममानं] સ્વયં નહિ પરિણમતા એવા [तं] તે જીવને [क्रोधः] ક્રોધ [कथं नु] કેમ [परिणामयति] પરિણમાવી શકે? [अथ] અથવા જો [आत्मा] આત્મા [स्वयम्] પોતાની મેળે [क्रोधभावेन] ક્રોધભાવે [परिणमते] પરિણમે છે [एषा ते बुद्धिः] એમ તારી બુદ્ધિ હોય, તો [क्रोधः] ક્રોધ [जीवं] જીવને