કહાનજૈનશાસ્ત્રમાળા ]
कर्मतामापद्यमानस्य कर्तृत्वमापद्येत । स तु ज्ञानिनः सम्यक्स्वपरविवेकेनात्यन्तोदितविविक्तात्म- ख्यातित्वात् ज्ञानमय एव स्यात् । अज्ञानिनः तु सम्यक्स्वपरविवेकाभावेनात्यन्तप्रत्यस्तमित- विविक्तात्मख्यातित्वादज्ञानमय एव स्यात् ।
अज्ञानिनो हि सम्यक्स्वपरविवेकाभावेनात्यन्तप्रत्यस्तमितविविक्तात्मख्यातित्वाद्यस्मादज्ञानमय ભાવને કરે છે તે ભાવનો જ — કર્મપણાને પામેલાનો — કર્તા તે થાય છે (અર્થાત્ તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે). તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે (સર્વ પરદ્રવ્યભાવોથી) ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે.
ભાવાર્થ ઃ — જ્ઞાનીને તો સ્વપરનું ભેદજ્ઞાન થયું છે તેથી તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે; અને અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નથી તેથી તેને અજ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે.
જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે તે હવે કહે છેઃ —
ગાથાર્થ ઃ — [ अज्ञानिनः ] અજ્ઞાનીને [ अज्ञानमयः ] અજ્ઞાનમય [ भावः ] ભાવ છે [ तेन ] તેથી અજ્ઞાની [ कर्माणि ] કર્મોને [ करोति ] કરે છે, [ ज्ञानिनः तु ] અને જ્ઞાનીને તો [ ज्ञानमयः ] જ્ઞાનમય (ભાવ) છે [ तस्मात् तु ] તેથી જ્ઞાની [ कर्माणि ] કર્મોને [ न करोति ] કરતો નથી.
ટીકા ઃ — અજ્ઞાનીને, સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન