કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી.
શ્લોકાર્થઃ — [ ज्ञानिनः कुतः ज्ञानमयः एव भावः भवेत् ] અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય [ पुनः ] અને [ अन्यः न ] અન્ય (અર્થાત્ અજ્ઞાનમય) ન હોય? [ अज्ञानिनः कुतः सर्वः अयम् अज्ञानमयः ] વળી અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય અને [ अन्यः न ] અન્ય (અર્થાત્ જ્ઞાનમય) ન હોય? ૬૬.
આ જ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [ यस्मात् ] કારણ કે [ ज्ञानमयात् भावात् च ] જ્ઞાનમય ભાવમાંથી [ ज्ञानमयः एव ] જ્ઞાનમય જ [ भावः ] ભાવ [ जायते ] ઉત્પન્ન થાય છે [ तस्मात् ] તેથી [ ज्ञानिनः ] જ્ઞાનીના [ सर्वे भावाः ] સર્વ ભાવો [ खलु ] ખરેખર [ ज्ञानमयाः ] જ્ઞાનમય જ હોય છે. [ च ] અને, [ यस्मात् ] કારણ કે [ अज्ञानमयात् भावात् ] અજ્ઞાનમય ભાવમાંથી [ अज्ञानः एव ] અજ્ઞાનમય