Samaysar (Gujarati). Kalash: 103-104.

< Previous Page   Next Page >


Page 243 of 642
PDF/HTML Page 274 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

પુણ્ય-પાપ અધિકાર
૨૪૩
(स्वागता)
कर्म सर्वमपि सर्वविदो यद्
बन्धसाधनमुशन्त्यविशेषात्
तेन सर्वमपि तत्प्रतिषिद्धं
ज्ञानमेव विहितं शिवहेतुः
।।१०३।।
(शिखरिणी)
निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल
प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः सन्त्यशरणाः
तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं
स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः
।।१०४।।

તેથી બન્ને કર્મને નિષેધે છે.

આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[ यद् ] કારણ કે [ सर्वविदः ] સર્વજ્ઞદેવો [ सर्वम् अपि कर्म ] સમસ્ત (શુભ તેમ જ અશુભ) કર્મને [ अविशेषात् ] અવિશેષપણે [ बन्धसाधनम् ] બંધનું સાધન (કારણ) [ उशन्ति ] કહે છે [ तेन ] તેથી (એમ સિદ્ધ થયું કે સર્વજ્ઞદેવોએ) [ सर्वम् अपि तत् प्रतिषिद्धं ] સમસ્ત કર્મને નિષેધ્યું છે અને [ ज्ञानम् एव शिवहेतुः विहितं ] જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ૧૦૩.

જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું તે હવેના કળશમાં કહે છેઃ

શ્લોકાર્થઃ[ सुकृतदुरिते सर्वस्मिन् कर्मणि किल निषिद्धे ] શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મએવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં અને [ नैष्कर्म्ये प्रवृत्ते ] એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, [ मुनयः खलु अशरणाः न सन्ति ] મુનિઓ કાંઈ અશરણ નથી; [ तदा ] (કારણ કે) જ્યારે નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિઅવસ્થા) પ્રવર્તે છે ત્યારે [ ज्ञाने प्रतिचरितम् ज्ञानं हि ] જ્ઞાનમાં આચરણ કરતુંરમણ કરતુંપરિણમતું જ્ઞાન જ [ एषां ] તે મુનિઓને [ शरणं ] શરણ છે; [ एते ] તેઓ [ तत्र निरताः ] તે જ્ઞાનમાં લીન થયા થકા [ परमम् अमृतं ] પરમ અમૃતને [ स्वयं ] પોતે [ विन्दन्ति ] અનુભવે છેઆસ્વાદે છે.

ભાવાર્થઃ‘સુકૃત કે દુષ્કૃતબન્નેનો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી મુનિઓને કંઈ પણ કરવાનું નહિ રહેવાથી તેઓ મુનિપણું શાના આશ્રયે, શા આલંબન વડે પાળી