કહાનજૈનશાસ્ત્રમાળા ]
स्वतश्चितो भवनमात्रतया सद्भावो वेति शब्दभेदेऽपि न च वस्तुभेदः ।
ज्ञानमेव मोक्षस्य कारणं विहितं, परमार्थभूतज्ञानशून्यस्याज्ञानकृतयोर्व्रततपःकर्मणोः
बन्धहेतुत्वाद्बालव्यपदेशेन प्रतिषिद्धत्वे सति तस्यैव मोक्षहेतुत्वात् ।
હોવાથી મુનિ છે, પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે, ‘સ્વ’ના ભવનમાત્રસ્વરૂપ હોવાથી સ્વભાવ છે અથવા સ્વતઃ (પોતાથી જ) ચૈતન્યના ❋ભવનમાત્રસ્વરૂપ હોવાથી સદ્ભાવ છે (કારણ કે જે સ્વતઃ હોય તે સત્-સ્વરૂપ જ હોય). આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં વસ્તુભેદ નથી ( — નામ જુદાં જુદાં છે છતાં વસ્તુ એક જ છે).
ભાવાર્થઃ — મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે. વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે.
હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છેઃ —
ગાથાર્થઃ — [ परमार्थे तु ] પરમાર્થમાં [ अस्थितः ] અસ્થિત [ यः ] એવો જે જીવ [ तपः करोति ] તપ કરે છે [ च ] તથા [ व्रतं धारयति ] વ્રત ધારણ કરે છે, [ तत्सर्वं ] તેનાં તે સર્વ તપ અને વ્રતને [ सर्वज्ञाः ] સર્વજ્ઞો [ बालतपः ] બાળતપ અને [ बालव्रतं ] બાળવ્રત [ ब्रुवन्ति ] કહે છે.
ટીકાઃ — આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે (એમ સિદ્ધ થાય છે); કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે તેનાં, અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, ❋ ભવન = હોવું તે.