Samaysar (Gujarati). Gatha: 153.

< Previous Page   Next Page >


Page 246 of 642
PDF/HTML Page 277 of 673

 

૨૪૬

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ ज्ञानाज्ञाने मोक्षबन्धहेतू नियमयति
वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता
परमट्ठबाहिरा जे णिव्वाणं ते ण विंदंति ।।१५३।।
व्रतनियमान् धारयन्तः शीलानि तथा तपश्च कुर्वन्तः
परमार्थबाह्या ये निर्वाणं ते न विन्दन्ति ।।१५३।।

ज्ञानमेव मोक्षहेतुः, तदभावे स्वयमज्ञानभूतानामज्ञानिनामन्तर्व्रतनियमशीलतपःप्रभृति- शुभकर्मसद्भावेऽपि मोक्षाभावात् अज्ञानमेव बन्धहेतुः, तदभावे स्वयं ज्ञानभूतानां ज्ञानिनां बहिर्व्रतनियमशीलतपःप्रभृतिशुभकर्मासद्भावेऽपि मोक्षसद्भावात्


તપ આદિ કર્મો બંધનાં કારણ હોવાને લીધે તે કર્મોને ‘બાળ’ એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ ઠરે છે.

ભાવાર્થઃજ્ઞાન વિના કરાયેલાં તપ તથા વ્રતને સર્વજ્ઞદેવે બાળતપ તથા બાળવ્રત (અર્થાત્ અજ્ઞાનતપ તથા અજ્ઞાનવ્રત) કહ્યાં છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે.

જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છેઃ

વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે,
પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩.

ગાથાર્થઃ[ व्रतनियमान् ] વ્રત અને નિયમો [ धारयन्तः ] ધારણ કરતા હોવા છતાં [ तथा ] તેમ જ [ शीलानि च तपः ] શીલ અને તપ [ कुर्वन्तः ] કરતા હોવા છતાં [ ये ] જેઓ [ परमार्थबाह्याः ] પરમાર્થથી બાહ્ય છે (અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી) [ ते ] તેઓ [ निर्वाणं ] નિર્વાણને [ न विन्दन्ति ] પામતા નથી.

ટીકાઃજ્ઞાન જ મોક્ષનો હેતુ છે; કારણ કે તેના (જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદ્ભાવ (હયાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે. અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં, પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્ભાવ હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે.