કહાનજૈનશાસ્ત્રમાળા ]
अथ कर्मणो मोक्षहेतुतिरोधानकरणं साधयति — મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી છે તેથી તેના ભવનથી આત્માનું ભવન થાય છે; માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. આ રીતે જ્ઞાન જ વાસ્તવિક મોક્ષહેતુ છે.
શ્લોકાર્થઃ — [ एकद्रव्यस्वभावत्वात् ] જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી ( – જીવસ્વભાવી – ) હોવાથી [ ज्ञानस्वभावेन ] જ્ઞાનના સ્વભાવથી [ सदा ] હંમેશાં [ ज्ञानस्य भवनं वृत्तं ] જ્ઞાનનું ભવન થાય છે; [ तत् ] માટે [ तद् एव मोक्षहेतुः ] જ્ઞાન જ મોક્ષનું કારણ છે. ૧૦૬.
શ્લોકાર્થઃ — [ द्रव्यान्तरस्वभाववात् ] કર્મ અન્યદ્રવ્યસ્વભાવી ( – પુદ્ગલસ્વભાવી – ) હોવાથી [ कर्मस्वभावेन ] કર્મના સ્વભાવથી [ ज्ञानस्य भवनं न हि वृत्तं ] જ્ઞાનનું ભવન થતું નથી; [ तत् ] માટે [ कर्म मोक्षहेतुः न ] કર્મ મોક્ષનું કારણ નથી. ૧૦૭.
હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ मोक्षहेतुतिरोधानात् ] કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી, [ स्वयम् एव बन्धत्वात् ] તે પોતે જ બંધસ્વરૂપ હોવાથી [ च ] અને [ मोक्षहेतुतिरोधायिभावत्वात् ] તે મોક્ષના કારણના ❋તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી [ तत् निषिध्यते ] તેને નિષેધવામાં આવે છે. ૧૦૮.
હવે પ્રથમ, કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે એમ સિદ્ધ કરે છેઃ — ❋ તિરોધાયિ = તિરોધાન કરનાર