Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 256 of 642
PDF/HTML Page 287 of 673

 

૨૫૬

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

सम्यक्त्वस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबन्धकं किल मिथ्यात्वं, तत्तु स्वयं कर्मैव, तदुदयादेव ज्ञानस्य मिथ्यादृष्टित्वम् ज्ञानस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबन्धकं किलाज्ञानं, तत्तु स्वयं कर्मैव, तदुदयादेव ज्ञानस्याज्ञानित्वम् चारित्रस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबन्धक : किल कषायः, स तु स्वयं कर्मैव, तदुदयादेव ज्ञानस्याचारित्रत्वम् अतः स्वयं मोक्षहेतुतिरोधायि- भावत्वात्कर्म प्रतिषिद्धम् [ मिथ्यादृष्टिः ] મિથ્યાદ્રષ્ટિ થાય છે [ इति ज्ञातव्यः ] એમ જાણવું. [ ज्ञानस्य प्रतिनिबद्धं ] જ્ઞાનને


રોકનારું [ अज्ञानं ] અજ્ઞાન છે એમ [ जिनवरैः ] જિનવરોએ [ परिकथितम् ] કહ્યું છે; [ तस्य उदयेन ] તેના ઉદયથી [ जीवः ] જીવ [ अज्ञानी ] અજ્ઞાની [ भवति ] થાય છે [ ज्ञातव्यः ] એમ જાણવું. [ चारित्रप्रतिनिबद्धः ] ચારિત્રને રોકનાર [ कषायः ] કષાય છે એમ [ जिनवरैः ] જિનવરોએ [ परिकथितः ] કહ્યું છે; [ तस्य उदयेन ] તેના ઉદયથી [ जीवः ] જીવ [ अचारित्रः ] અચારિત્રી [ भवति ] થાય છે [ ज्ञातव्यः ] એમ જાણવું.

ટીકાઃસમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું મિથ્યાત્વ છે; તે (મિથ્યાત્વ) તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને મિથ્યાદ્રષ્ટિપણું થાય છે. જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું અજ્ઞાન છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે. ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર કષાય છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અચારિત્રીપણું થાય છે. માટે, (કર્મ) પોતે મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.

ભાવાર્થઃસમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે તેમનાથી વિપરીત મિથ્યાત્વાદિ ભાવો છે; કર્મ તે મિથ્યાત્વાદિ ભાવો-સ્વરૂપ છે. આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવો-સ્વરૂપ છે.

પહેલાં ત્રણ ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનુંસમ્યક્ત્વાદિનું ઘાતક છે. પછીની એક ગાથામાં એમ કહ્યું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. આ છેલ્લી ત્રણ ગાથાઓમાં કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવોસ્વરૂપ છેમિથ્યાત્વાદિસ્વરૂપ છે. આ પ્રમાણે એમ બતાવ્યું કે કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધસ્વરૂપ છે અને બંધના કારણસ્વરૂપ છે, માટે નિષિદ્ધ છે.

અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહિ, બાધક જ છે, તેથી નિષિદ્ધ જ છે; પરંતુ શુભ કર્મ પણ કર્મસામાન્યમાં આવી જતું હોવાથી તે પણ બાધક જ છે તેથી નિષિદ્ધ જ છે એમ જાણવું.