કહાનજૈનશાસ્ત્રમાળા ]
मिथ्यात्वाविरतिकषाययोगाः पुद्गलपरिणामाः, ज्ञानावरणादिपुद्गलकर्मास्रवणनिमित्तत्वात्, किलास्रवाः । तेषां तु तदास्रवणनिमित्तत्वनिमित्तं अज्ञानमया आत्मपरिणामा रागद्वेषमोहाः । तत आस्रवणनिमित्तत्वनिमित्तत्वात् रागद्वेषमोहा एवास्रवाः । ते चाज्ञानिन एव भवन्तीति अर्थादेवापद्यते ।
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ — એ પુદ્ગલપરિણામો, જ્ઞાનાવરણાદિ પુદ્ગલ- કર્મના આસ્રવણનાં ( – આવવાનાં) નિમિત્ત હોવાથી, ખરેખર આસ્રવો છે; અને તેમને (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોહ છે — કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે. માટે (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) આસ્રવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ-મોહ જ આસ્રવો છે. અને તે તો ( – રાગદ્વેષમોહ તો) અજ્ઞાનીને જ હોય છે એમ અર્થમાંથી જ નીકળે છે. (ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી તોપણ ગાથાના જ અર્થમાંથી એ આશય નીકળે છે.)
ભાવાર્થઃ — જ્ઞાનાવરણાદિ કર્માેના આસ્રવણનું ( – આગમનનું) કારણ તો મિથ્યાત્વાદિ- કર્મના ઉદયરૂપ પુદ્ગલના પરિણામ છે, માટે તે ખરેખર આસ્રવો છે. વળી તેમને કર્મ- આસ્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહરૂપ (અજ્ઞાનમય) પરિણામ છે માટે રાગદ્વેષમોહ જ આસ્રવો છે. તે રાગદ્વેષમોહને ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. તે રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યાદ્રષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસ્રવો હોય છે.
હવે જ્ઞાનીને આસ્રવોનો (ભાવાસ્રવોનો) અભાવ છે એમ બતાવે છેઃ —
ગાથાર્થઃ — [ सम्यग्दृष्टेः तु ] સમ્યગ્દ્રષ્ટિને [ आस्रवबन्धः ] આસ્રવ જેનું નિમિત્ત છે એવો