કહાનજૈનશાસ્ત્રમાળા ]
जीवस्य स्याद् ज्ञाननिर्वृत्त एव ।
एषोऽभावः सर्वभावास्रवाणाम् ।।११४।।
કારણ નથી; મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીઘ્ર સુકાવાયોગ્ય છે.
હવે, ‘જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવાસ્રવનો અભાવ છે’ એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ जीवस्य ] જીવને [ यः ] જે [ रागद्वेषमोहैः बिना ] રાગદ્વેષમોહ વગરનો, [ ज्ञाननिर्वृत्तः एव भावः ] જ્ઞાનથી જ રચાયેલો ભાવ [ स्यात् ] છે અને [ सर्वान् द्रव्यकर्मास्रव-ओघान् रुन्धन् ] જે સર્વ દ્રવ્યકર્મના આસ્રવના થોકને (અર્થાત્ જથ્થાબંધ દ્રવ્યકર્મના પ્રવાહને) રોકનારો છે, [ एषः सर्व-भावास्रवाणाम् अभावः ] તે (જ્ઞાનમય) ભાવ સર્વ ભાવાસ્રવના અભાવસ્વરૂપ છે.
ભાવાર્થઃ — મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય ભાવ રાગદ્વેષમોહ વગરનો છે અને દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો છે; તેથી તે ભાવ જ ભાવ-આસ્રવના અભાવસ્વરૂપ છે.
સંસારનું કારણ મિથ્યાત્વ જ છે; તેથી મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ થતાં, સર્વ ભાવાસ્રવનો અભાવ થયો એમ અહીં કહ્યું. ૧૧૪.
હવે, જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ છે એમ બતાવે છેઃ —
ગાથાર્થઃ — [ तस्य ज्ञानिनः ] તે જ્ઞાનીને [ पूर्वनिबद्धाः तु ] પૂર્વે બંધાયેલા [ सर्वे अपि ]