૨૬૮
ये खलु पूर्वमज्ञानेन बद्धा मिथ्यात्वाविरतिकषाययोगा द्रव्यास्रवभूताः प्रत्ययाः, ते ज्ञानिनो द्रव्यान्तरभूता अचेतनपुद्गलपरिणामत्वात् पृथ्वीपिण्डसमानाः । ते तु सर्वेऽपि- स्वभावत एव कार्माणशरीरेणैव सम्बद्धाः, न तु जीवेन । अतः स्वभावसिद्ध एव द्रव्यास्रवाभावो ज्ञानिनः ।
द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः ।
निरास्रवो ज्ञायक एक एव ।।११५।।
સમસ્ત [ प्रत्ययाः ] પ્રત્યયો [ पृथ्वीपिण्डसमानाः ] માટીનાં ઢેફાં સમાન છે [ तु ] અને [ ते ] તે [ कर्मशरीरेण ] (માત્ર) કાર્મણ શરીર સાથે [ बद्धाः ] બંધાયેલ છે.
ટીકાઃ — જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો છે, તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદ્ગલપરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીનાં ઢેફાં સમાન છે ( – જેવા માટી વગેરે પુદ્ગલસ્કંધો છે તેવા જ એ પ્રત્યયો છે); તે તો બધાય, સ્વભાવથી જ માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલા છે — સંબંધવાળા છે, જીવ સાથે નહિ; માટે જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે.
ભાવાર્થઃ — જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો છે તે તો માટીનાં ઢેફાંની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે. તેમનો બંધ અથવા સંબંધ પુદ્ગલમય કાર્મણ શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નથી. માટે જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ તો સ્વભાવથી જ છે. (વળી જ્ઞાનીને ભાવાસ્રવનો અભાવ હોવાથી, દ્રવ્ય આસ્રવો નવાં કર્મના આસ્રવણનું કારણ થતા નથી તેથી તે દ્રષ્ટિએ પણ જ્ઞાનીને દ્રવ્ય આસ્રવનો અભાવ છે.)
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ भावास्रव-अभावम् प्रपन्नः ] ભાવાસ્રવોના અભાવને પામેલો અને [ द्रव्यास्रवेभ्यः स्वतः एव भिन्नः ] દ્રવ્યાસ્રવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો [ अयं ज्ञानी ] આ જ્ઞાની — [ सदा ज्ञानमय-एक-भावः ] કે જે સદા એક જ્ઞાનમય ભાવવાળો છે તે — [ निरास्रवः ] નિરાસ્રવ જ છે, [ एकः ज्ञायकः एव ] માત્ર એક જ્ઞાયક જ છે.