કહાનજૈનશાસ્ત્રમાળા ]
(અર્થાત્ પોતપોતાના સમયે ઉદયમાં આવતા) એવા [ पूर्वबद्धाः ] પૂર્વબદ્ધ (પૂર્વે અજ્ઞાન- અવસ્થામાં બંધાયેલા) [ द्रव्यरूपाः प्रत्ययाः ] દ્રવ્યરૂપ પ્રત્યયો [ सत्तां ] પોતાની સત્તા [ न हि विजहति ] છોડતા નથી (અર્થાત્ સત્તામાં છે — હયાત છે), [ तदपि ] તોપણ [ सकलरागद्वेष- मोहव्युदासात् ] સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી [ ज्ञानिनः ] જ્ઞાનીને [ कर्मबन्धः ] કર્મબંધ [ जातु ] કદાપિ [ अवतरति न ] અવતાર ધરતો નથી — થતો નથી.
ભાવાર્થઃ — જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાસ્રવો સત્તા-અવસ્થામાં હયાત છે અને તેમના ઉદયકાળે ઉદયમાં આવતા જાય છે. પરંતુ તે દ્રવ્યાસ્રવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી, કેમ કે જ્ઞાનીને સકળ રાગદ્વેષમોહભાવોનો અભાવ છે. અહીં સકળ રાગદ્વેષમોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોહની અપેક્ષાએ સમજવો. ૧૧૮.
હવે આ જ અર્થ દ્રઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ यत् ] કારણ કે [ ज्ञानिनः रागद्वेषविमोहानां असम्भवः ] જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે [ ततः एव ] તેથી [ अस्य बन्धः न ] તેને બંધ નથી; [ हि ] કેમ કે [ ते बन्धस्य कारणम् ] તે (રાગદ્વેષમોહ) જ બંધનું કારણ છે. ૧૧૯.
હવે આ અર્થના સમર્થનની બે ગાથાઓ કહે છેઃ —