Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 278 of 642
PDF/HTML Page 309 of 673

 

૨૭૮

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
रागो द्वेषो मोहश्च आस्रवा न सन्ति सम्यग्दृष्टेः
तस्मादास्रवभावेन विना हेतवो न प्रत्यया भवन्ति ।।१७७।।
हेतुश्चतुर्विकल्पः अष्टविकल्पस्य कारणं भणितम्
तेषामपि च रागादयस्तेषामभावे न बध्यन्ते ।।१७८।।

रागद्वेषमोहा न सन्ति सम्यग्दृष्टेः, सम्यग्दृष्टित्वान्यथानुपपत्तेः तदभावे न तस्य द्रव्य- प्रत्ययाः पुद्गलकर्महेतुत्वं बिभ्रति, द्रव्यप्रत्ययानां पुद्गलकर्महेतुत्वस्य रागादिहेतुत्वात् ततो हेतुहेत्वभावे हेतुमदभावस्य प्रसिद्धत्वात् ज्ञानिनो नास्ति बन्धः

ગાથાર્થઃ[ रागः ] રાગ, [ द्वेषः ] દ્વેષ [ च मोहः ] અને મોહ[ आस्रवाः ] આસ્રવો [ सम्यग्दृष्टेः ] સમ્યગ્દ્રષ્ટિને [ न सन्ति ] નથી [ तस्मात् ] તેથી [ आस्रवभावेन विना ] આસ્રવભાવ વિના [ प्रत्ययाः ] દ્રવ્યપ્રત્યયો [ हेतवः ] કર્મબંધનાં કારણ [ न भवन्ति ] થતા નથી.

[ चतुर्विकल्प हेतुः ] (મિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ [ अष्टविकल्पस्य ] આઠ પ્રકારનાં કર્મોનાં [ कारणं ] કારણ [ भणितम् ] કહેવામાં આવ્યા છે, [ च ] અને [ तेषाम् अपि ] તેમને પણ [ रागादयः ] (જીવના) રાગાદિ ભાવો કારણ છે; [ तेषाम् अभावे ] તેથી રાગાદિ ભાવોના અભાવમાં [ न बध्यन्ते ] કર્મ બંધાતાં નથી. (માટે સમ્યગ્દ્રષ્ટિને બંધ નથી.)

ટીકાઃસમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહ નથી કારણ કે સમ્યગ્દ્રષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે (અર્થાત્ રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું બની શકતું નથી); રાગદ્વેષમોહના અભાવમાં તેને (સમ્યગ્દ્રષ્ટિને) દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મનું (અર્થાત્ પુદ્ગલકર્મના બંધનનું) હેતુપણું ધારતા નથી કારણ કે દ્રવ્યપ્રત્યયોને પુદ્ગલકર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક છે; માટે હેતુના હેતુના અભાવમાં હેતુમાનનો (અર્થાત્ કારણનું જે કારણ તેના અભાવમાં કાર્યનો) અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી.

ભાવાર્થઃઅહીં, રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દ્રષ્ટિપણું હોઈ શકે નહિ એવો અવિનાભાવી નિયમ કહ્યો ત્યાં મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ સમજવો. મિથ્યાત્વસંબંધી રાગાદિકને જ અહીં રાગાદિક ગણવામાં આવ્યા છે. સમ્યગ્દ્રષ્ટિ થયા પછી કાંઈક ચારિત્રમોહસંબંધી રાગ રહે છે તેને અહીં ગણ્યો નથી; તે ગૌણ છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને ભાવાસ્રવનો અર્થાત્ રાગદ્વેષમોહનો અભાવ છે. દ્રવ્યાસ્રવોને બંધના હેતુ થવામાં હેતુભૂત એવા રાગદ્વેષમોહનો સમ્યગ્દ્રષ્ટિને અભાવ હોવાથી દ્રવ્યાસ્રવો બંધના હેતુ થતા નથી, અને દ્રવ્યાસ્રવો બંધના હેતુ નહિ થતા હોવાથી સમ્યગ્દ્રષ્ટિનેજ્ઞાનીનેબંધ થતો નથી.