Samaysar (Gujarati). Kalash: 127.

< Previous Page   Next Page >


Page 293 of 642
PDF/HTML Page 324 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

સંવર અધિકાર
૨૯૩

सोऽज्ञानमयाद्भावादज्ञानमय एव भावो भवतीति कृत्वा प्रत्यग्रकर्मास्रवणनिमित्तस्य रागद्वेष- मोहसन्तानस्यानिरोधादशुद्धमेवात्मानं प्राप्नोति अतः शुद्धात्मोपलम्भादेव संवरः

(मालिनी)
यदि कथमपि धारावाहिना बोधनेन
ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते
तदयमुदयदात्माराममात्मानमात्मा
परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति
।।१२७।।

ભાવ જ થાય છે’ એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો નિરોધ નહિ થવાથી, અશુદ્ધ આત્માને જ પામે છે. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે.

ભાવાર્થઃજે જીવ અખંડધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસ્રવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામે છે; અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસ્રવો રોકાતા નથી તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[ यदि ] જો [ कथम् अपि ] કોઈ પણ રીતે (તીવ્ર પુરુષાર્થ કરીને) [ धारावाहिना बोधनेन ] ધારાવાહી જ્ઞાનથી [ शुद्धम् आत्मानम् ] શુદ્ધ આત્માને [ ध्रुवम् उपलभमानः आस्ते ] નિશ્ચળપણે અનુભવ્યા કરે [ तत् ] તો [ अयम् आत्मा ] આ આત્મા, [ उदयत्-आत्म- आरामम् आत्मानम् ] જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે (અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી જાય છે) એવા આત્માને [ पर-परिणति-रोधात् ] પરપરિણતિના નિરોધથી [ शुद्धम् एव अभ्युपैति ] શુદ્ધ જ પ્રાપ્ત કરે છે.

ભાવાર્થઃધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગદ્વેષમોહરૂપ પર- પરિણતિનો (ભાવાસ્રવોનો) નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.

ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાનઅતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છેઃએક તો, જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યગ્જ્ઞાન ધારાવાહી જ્ઞાન છે. બીજું, એક જ જ્ઞેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે, અર્થાત્ જ્યાં