Samaysar (Gujarati). Gatha: 198.

< Previous Page   Next Page >


Page 310 of 642
PDF/HTML Page 341 of 673

 

૩૧૦

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
सम्यग्दृष्टिः सामान्येन स्वपरावेवं तावज्जानाति
उदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं
ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेक्को ।।१९८।।
उदयविपाको विविधः कर्मणां वर्णितो जिनवरैः
न तु ते मम स्वभावाः ज्ञायकभावस्त्वहमेकः ।।१९८।।

ये कर्मोदयविपाकप्रभवा विविधा भावा न ते मम स्वभावाः एष टङ्कोत्कीर्णैक- ज्ञायकभावोऽहम्

सम्यग्दृष्टिर्विशेषेण तु स्वपरावेवं जानाति પરથીરાગના યોગથી[ सर्वतः ] સર્વ પ્રકારે [ विरमति ] વિરમે છે. (આ રીત જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ.) ૧૩૬.

હવે પ્રથમ, સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છેએમ ગાથામાં કહે છેઃ

કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણવ્યો,
તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮.

ગાથાર્થઃ[ कर्मणां ] કર્મોના [ उदयविपाकः ] ઉદયનો વિપાક (ફળ) [ जिनवरैः ] જિનવરોએ [ विविधः ] અનેક પ્રકારનો [ वर्णितः ] વર્ણવ્યો છે [ ते ] તે [ मम स्वभावाः ] મારા સ્વભાવો [ न तु ] નથી; [ अहम् तु ] હું તો [ एकः ] એક [ ज्ञायकभावः ] જ્ઞાયકભાવ છું.

ટીકાઃજે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું.

ભાવાર્થઃઆ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દ્રષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકસ્વભાવ જ જાણે છે.

હવે સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છેએમ કહે છેઃ