૩૧૦
ये कर्मोदयविपाकप्रभवा विविधा भावा न ते मम स्वभावाः । एष टङ्कोत्कीर्णैक- ज्ञायकभावोऽहम् ।
सम्यग्दृष्टिर्विशेषेण तु स्वपरावेवं जानाति — પરથી — રાગના યોગથી — [ सर्वतः ] સર્વ પ્રકારે [ विरमति ] વિરમે છે. (આ રીત જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ.) ૧૩૬.
હવે પ્રથમ, સમ્યગ્દ્રષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે — એમ ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [ कर्मणां ] કર્મોના [ उदयविपाकः ] ઉદયનો વિપાક (ફળ) [ जिनवरैः ] જિનવરોએ [ विविधः ] અનેક પ્રકારનો [ वर्णितः ] વર્ણવ્યો છે [ ते ] તે [ मम स्वभावाः ] મારા સ્વભાવો [ न तु ] નથી; [ अहम् तु ] હું તો [ एकः ] એક [ ज्ञायकभावः ] જ્ઞાયકભાવ છું.
ટીકાઃ — જે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું.
ભાવાર્થઃ — આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દ્રષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકસ્વભાવ જ જાણે છે.
હવે સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે — એમ કહે છેઃ —