કહાનજૈનશાસ્ત્રમાળા ]
ततः सर्वानेवास्थायिभावान् मुक्त्वा स्थायिभावभूतं परमार्थरसतया स्वदमानं ज्ञानमेकमेवेदं स्वाद्यम् ।
स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन् ।
सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम् ।।१४०।।
સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવાયોગ્ય છે.
ભાવાર્થઃ — પૂર્વે વર્ણાદિક ગુણસ્થાનપર્યંત ભાવો કહ્યા હતા તે બધાય, આત્મામાં અનિયત, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે. આત્મા સ્થાયી છે ( – સદા વિદ્યમાન છે) અને તે બધા ભાવો અસ્થાયી છે ( – નિત્ય ટકતા નથી), તેથી તેઓ આત્માનું સ્થાન – રહેઠાણ – થઈ શકતા નથી અર્થાત્ તેઓ આત્માનું પદ નથી. જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન છે તે નિયત છે, એક છે, નિત્ય છે, અવ્યભિચારી છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે.
હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ तत् एकम् एव हि पदम् स्वाद्यं ] તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે [ विपदाम् अपदं ] કે જે વિપત્તિઓનું અપદ છે (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શકતી નથી) અને [ यत्पुरः ] જેની આગળ [ अन्यानि पदानि ] અન્ય (સર્વ) પદો [ अपदानि एव भासन्ते ] અપદ જ ભાસે છે.
ભાવાર્થઃ — એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે (કારણ કે તેઓ આકુળતામય છે — આપત્તિરૂપ છે). ૧૩૯.
વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છેઃ —
શ્લોકાર્થઃ — [ एक-ज्ञायकभाव-निर्भर-महास्वादं समासादयन् ] એક જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, (એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી માટે) [ द्वन्द्वमयं