૩૨૪
यतो हि सकलेनापि कर्मणा, कर्मणि ज्ञानस्याप्रकाशनात्, ज्ञानस्यानुपलम्भः । केवलेन ज्ञानेनैव, ज्ञान एव ज्ञानस्य प्रकाशनात्, ज्ञानस्योपलम्भः । ततो बहवोऽपि बहुनापि कर्मणा ज्ञानशून्या नेदमुपलभन्ते, इदमनुपलभमानाश्च कर्मभिर्न मुच्यन्ते । ततः कर्ममोक्षार्थिना केवलज्ञानावष्टम्भेन नियतमेवेदमेकं पदमुपलम्भनीयम् ।
सहजबोधकलासुलभं किल ।
कलयितुं यततां सततं जगत् ।।१४३।।
[ तद् ] માટે હે ભવ્ય! [ यदि ] જો તું [ कर्मपरिमोक्षम् ] કર્મથી સર્વથા મુક્ત થવા [ इच्छसि ] ઇચ્છતો હો તો [ नियतम् एतत् ] નિયત એવા આને (જ્ઞાનને) [ गृहाण ] ગ્રહણ કર.
ટીકાઃ — કર્મમાં (કર્મકાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો, પુષ્કળ (ઘણા પ્રકારનાં) કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી અને આ પદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી; માટે કર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવાયોગ્ય છે.
ભાવાર્થઃ — જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહિ; માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ इदं पदम् ] આ (જ્ઞાનસ્વરૂપ) પદ [ ननु कर्मदुरासदं ] કર્મથી ખરેખર ૧દુરાસદ છે અને [ सहज-बोध-कला-सुलभं किल ] સહજ જ્ઞાનની કળા વડે ખરેખર સુલભ છે; [ ततः ] માટે [ निज-बोध-कला-बलात् ] નિજજ્ઞાનની કળાના બળથી [ इदं कलयितुं ] આ પદને ૨અભ્યાસવાને [ जगत् सततं यततां ] જગત સતત પ્રયત્ન કરો.
ભાવાર્થઃ — સર્વ કર્મને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ જ્ઞાનનો અભ્યાસ કરવાનો ૧. દુરાસદ = દુષ્પ્રાપ્ય; અપ્રાપ્ય; ન જીતી શકાય એવું. ૨. અહીં ‘અભ્યાસવાને’ એવા અર્થને બદલે ‘અનુભવવાને’, ‘પ્રાપ્ત કરવાને’ એમ અર્થ પણ થાય છે.