કહાનજૈનશાસ્ત્રમાળા ]
यतो हि ज्ञानी, यो हि यस्य स्वो भावः स तस्य स्वः स तस्य स्वामी इति खरतरतत्त्वद्रष्टयवष्टम्भात्, आत्मानमात्मनः परिग्रहं तु नियमेन विजानाति, ततो न ममेदं स्वं, नाहमस्य स्वामी इति परद्रव्यं न परिगृह्णाति ।
ગાથાર્થઃ — [ आत्मानम् तु ] પોતાના આત્માને જ [ नियतं ] નિયમથી [ आत्मनः परिग्रहं ] પોતાનો પરિગ્રહ [ विजानन् ] જાણતો થકો [ कः नाम बुधः ] કયો જ્ઞાની [ भणेत् ] એમ કહે કે [ इदं परद्रव्यं ] આ પરદ્રવ્ય [ मम द्रव्यम् ] મારું દ્રવ્ય [ भवति ] છે?
ટીકાઃ — જે જેનો સ્વભાવ છે તે તેનું ‘૧સ્વ’ છે અને તે તેનો (સ્વ ભાવનો) સ્વામી છે — એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની (પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી ‘‘આ મારું ‘સ્વ’ નથી, હું આનો સ્વામી નથી’’ એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી (અર્થાત્ પરદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી).
ભાવાર્થઃ — લોકમાં એવી રીત છે કે સમજદાર ડાહ્યો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. તેવી જ રીતે પરમાર્થજ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ – સેવન કરતો નથી.
‘‘માટે હું પણ પરદ્રવ્યને નહિ પરિગ્રહું’’ એમ હવે (મોક્ષાભિલાષી જીવ) કહે છેઃ — ૧. સ્વ = ધન; મિલકત; માલિકીની ચીજ.