Samaysar (Gujarati). Gatha: 1.

< Previous Page   Next Page >


Page 5 of 642
PDF/HTML Page 36 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

પૂર્વરંગ
अथ सूत्रावतार :
वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गदिं पत्ते
वोच्छामि समयपाहुडमिणमो सुदकेवलीभणिदं ।।१।।
वन्दित्वा सर्वसिद्धान् ध्रुवामचलामनौपम्यां गतिं प्राप्तान्
वक्ष्यामि समयप्राभृतमिदं अहो श्रुतकेवलिभणितम् ।।१।।

અનુભૂતિની અર્થાત્ અનુભવનરૂપ પરિણતિની [परमविशुद्धिः] પરમ વિશુદ્ધિ (સમસ્ત રાગાદિ વિભાવપરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા) [भवतु] થાઓ. કેવી છે તે પરિણતિ? [परपरिणतिहेतोः मोहनाम्नः अनुभावात्] પરપરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ તેના અનુભાવ(-ઉદયરૂપ વિપાક)ને લીધે [अविरतम् अनुभाव्य-व्याप्ति-कल्माषितायाः] જે અનુભાવ્ય(રાગાદિ પરિણામો)ની વ્યાપ્તિ છે તેનાથી નિરંતર કલ્માષિત (મેલી) છે. અને હું કેવો છું? [शुद्धचिन्मात्रमूर्तेः] દ્રવ્યદ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું.

ભાવાર્થઆચાર્ય કહે છે કે શુદ્ધદ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું. પરંતુ મારી પરિણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છેરાગાદિસ્વરૂપ થઈ રહી છે. તેથી શુદ્ધ આત્માની કથનીરૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદિ રહિત થઈ શુદ્ધ થાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ. બીજું કાંઈ પણખ્યાતિ, લાભ, પૂજાદિકચાહતો નથી. આ પ્રકારે આચાર્યે ટીકા કરવાની પ્રતિજ્ઞાગર્ભિત એના ફળની પ્રાર્થના કરી. ૩.

હવે મૂળગાથાસૂત્રકાર શ્રી કુંદકુંદાચાર્ય ગ્રંથના આદિમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છે

(હરિગીત)
ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને
વંદી કહું શ્રુતકેવળી-ભાષિત આ સમયપ્રાભૃત અહો! ૧.

ગાથાર્થઆચાર્ય કહે છેઃ હું [ध्रुवाम्] ધ્રુવ, [अचलाम्] અચળ અને [अनौपम्यां] અનુપમએ ત્રણ વિશેષણોથી યુક્ત [गतिं] ગતિને [प्राप्तान्] પ્રાપ્ત થયેલ એવા [सर्वसिद्धान्] સર્વ સિદ્ધોને [वन्दित्वा] નમસ્કાર કરી, [अहो] અહો! [श्रुतकेवलिभणितम्] શ્રુતકેવળીઓએ કહેલા [इदं][समयप्राभृतम्] સમયસાર નામના પ્રાભૃતને [वक्ष्यामि] કહીશ.