કહાનજૈનશાસ્ત્રમાળા ]
छिद्यतां वा, भिद्यतां वा, नीयतां वा, विप्रलयं यातु वा, यतस्ततो गच्छतु वा, तथापि न परद्रव्यं परिगृह्णामि; यतो न परद्रव्यं मम स्वं, नाहं परद्रव्यस्य स्वामी, परद्रव्यमेव परद्रव्यस्य स्वं, परद्रव्यमेव परद्रव्यस्य स्वामी, अहमेव मम स्वं, अहमेव मम स्वामी इति जानामि ।
सामान्यतः स्वपरयोरविवेकहेतुम् ।
भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः ।।१४५।।
ગાથાર્થઃ — [ छिद्यतां वा ] છેદાઈ જાઓ, [ भिद्यतां वा ] અથવા ભેદાઈ જાઓ, [ नीयतां वा ] અથવા કોઈ લઈ જાઓ, [ अथवा विप्रलयम् यातु ] અથવા નષ્ટ થઈ જાઓ, [ यस्मात् तस्मात् गच्छतु ] અથવા તો ગમે તે રીતે જાઓ, [ तथापि ] તોપણ [ खलु ] ખરેખર [ परिग्रहः ] પરિગ્રહ [ मम न ] મારો નથી.
ટીકાઃ — પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું; કારણ કે ‘પરદ્રવ્ય મારું સ્વ નથી, – હું પરદ્રવ્યનો સ્વામી નથી, પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે, – પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે, હું જ મારું સ્વ છું, – હું જ મારો સ્વામી છું’ — એમ હું જાણું છું.
ભાવાર્થઃ — જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષવિષાદ હોતો નથી.
હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ —